ગુજરાત

gujarat

અગ્નિપથ યોજનાને લઈને દાખલ કરાયેલી અરજીઓ પર દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી કરશે

By

Published : Jul 20, 2022, 9:18 AM IST

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને (Agnipath Sacheme) પડકારતી અરજીઓ પર દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) બુધવારે સુનાવણી કરશે. 19 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે અગ્નિપથ સંબંધિત તમામ અરજીઓને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.

અગ્નિપથ યોજનાને લઈને દાખલ કરવામાં આવેલી અરજીઓ પર દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી કરશે
અગ્નિપથ યોજનાને લઈને દાખલ કરવામાં આવેલી અરજીઓ પર દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી કરશે

નવી દિલ્હીઃકેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને (Agnipath Sacheme) પડકારતી અરજીઓ પર દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) બુધવારે સુનાવણી કરશે. 19 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે અગ્નિપથ સંબંધિત તમામ અરજીઓને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટ પહેલાથી જ ભારતીય નૌકાદળની જાહેરાતને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી છે જેમાં તેને 12મા ધોરણમાં મેળવેલા કટ-ઓફ માર્ક્સ વધારીને ઉમેદવારોની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું છે. અરજીકર્તાનું કહેવું છે કે, આ જાહેરાત ભારતીય નૌકાદળમાં પસંદગી માટે જે માપદંડ બનાવવામાં આવ્યા છે તેનું ઉલ્લંઘન કરે છે.

આ પણ વાંચો:44 વર્ષમાં પ્રથમ વખત શ્રીલંકાની સંસદ સીધા રાષ્ટ્રપતિની પસંદગી કરશે

અગ્નિપથ યોજનાને લઈને દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી કરશે :એરફોર્સમાં પસંદ કરાયેલા 20 ઉમેદવારોએ પણ અગ્નિપથ યોજનાને લઈને હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમની અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાથી પ્રભાવિત થયા વિના તેમને વાયુસેનામાં જોડવાનો આદેશ જારી કરવામાં આવે. એરફોર્સમાં પસંદગી પામેલા ઉમેદવારોને એરફોર્સ X અને Y ટ્રેડમાં નિમણૂક માટે 2019 માં પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓને જોડાવાનો પત્ર મળ્યો નથી. અરજીમાં એવી માગણી કરવામાં આવી છે કે, એરફોર્સની 2019ની એનરોલમેન્ટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવે અને તેમને તેમાં જોડવામાં આવે. એરફોર્સની ઓફિશિયલ વેબસાઈટમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાને કારણે તેમનું જોડાઈ રહ્યું નથી, પરંતુ હવે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને કારણે તેમના જોડાન પર અસર થઈ શકે છે.

આ પણ વાંચો:'CIAએ કરાવી હતી હોમી જહાંગીર ભાભા અને લાલ બહાદુર શાસ્ત્રીની હત્યા'

દિલ્હી હાઈકોર્ટ :અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેમની નિમણૂકમાં માત્ર છેલ્લો તબક્કો બાકી છે, તેથી તેઓ એરફોર્સમાં નિમણૂક માટે હકદાર છે. જો 2019ની એરફોર્સમાં પસંદગી મનસ્વી રીતે રદ કરવામાં આવે છે, તો તે બંધારણની કલમ 16(1) હેઠળ આપવામાં આવેલા અધિકારોનું ઉલ્લંઘન હશે. અગ્નિપથ યોજનાને લઈને સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજીઓને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details