ગુજરાત

gujarat

ભાજપની સંસદીય દળની બેઠક શરૂ, PM મોદી હાજર

By

Published : Dec 20, 2022, 10:02 AM IST

Updated : Dec 20, 2022, 10:28 AM IST

ભાજપ સંસદીય દળની બેઠક (BJP PARLIAMENTARY PARTY MEETING) શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન મોદી(PM Narendra Modi IN BJP PARLIAMENTARY MEETING) સહિત બંને ગૃહોના પાર્ટી સાંસદો હાજર છે.. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સંસદીય દળની બેઠકમાં ઉપસ્થિત છે. આ પહેલા 14 ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠક મળી હતી.

આજે ભાજપની સંસદીય દળની બેઠક
આજે ભાજપની સંસદીય દળની બેઠક

નવી દિલ્હીઃ ભાજપ સંસદીય દળની બેઠક(BJP PARLIAMENTARY PARTY MEETING) શરૂ થઈ ગઈ છે. વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપે હવે મિશન 2024ની તૈયારીઓ શરૂ(BJP started preparations for Mission 2024) કરી દીધી છે. પાર્ટીએ અગાઉ 14 ડિસેમ્બરે બેઠક બોલાવી હતી.

મિશન 2024ની તૈયારીઓ શરૂ: ભાજપની સંસદીય દળની બેઠક શરૂ થઈ ગઈ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ ભાગ લેવાઆવી પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સંસદીય દળની બેઠકમાં ઉપસ્થિત છે. આ પહેલા 14 ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠક મળી હતી.

આ પણ વાંચો:LACને અડીને આવેલા વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પૂરજોશમાં

ભાજપ સંસદીય દળની પ્રથમ બેઠક સંસદ 2022ના શિયાળુ સત્ર દરમિયાન યોજાઈ હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં સૌથી મોટી અને ઐતિહાસિક જીત બદલ તમામ BJP સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત અને અભિનંદન આપ્યા. આ અવસરે ગુજરાતની જીતને ટાંકીને વડાપ્રધાને કહ્યું કે પન્ના પ્રમુખો માટે આમાં યુવાનોને સામેલ કરવા માટે રમતગમતના કાર્યક્રમો યોજવા જોઈએ. તમામ સાંસદોએ પોતપોતાના વિસ્તારોમાં G20 સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. તમામ સ્થળોએ જી-20ની રંગોળીઓ બનાવવામાં આવી હતી. જીતનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે પાટીલ ક્યારેય ફોટો પડાવતા ન હતા, તેઓ સંસ્થાના કામમાં વ્યસ્ત રહેતા હતા.

કાર્યકર્તાઓનું સન્માન:વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ એકલા જીતના લાયક નથી. તેમણે ગુજરાતની જીત માટે જેપી નડ્ડાની પણ પ્રશંસા કરી હતી. બેઠકમાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આર્થિક બાબતો પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે કહ્યું કે બધું નિયંત્રણમાં છે. તેમણે મોટી ભૂમિકા ભજવી છે. સાંસદોને જીતનો મંત્ર આપતાં મોદીએ કહ્યું કે કાર્યકર્તાઓનું સન્માન કરવું જોઈએ.

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટર, ત્રણ આતંકવાદીઓ ઠાર

Last Updated : Dec 20, 2022, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details