કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નોટબંધી વિશે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ શુક્રવારે ટ્વિટ કર્યું હતું કે, નોટબંધીને 3 વર્ષ થઈ ગયા છે. સરકાર અને તેમના ચમચાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ‘નોટબંધી દરેક મુશ્કેલીઓનો ઉકેલ છે.’ આ દરેક દાવા હવે ધીમે ધીમે ખોટા સાબીત થઈ રહ્યા છે. નોટબંધી એક મુશ્કેલી સમાન હતી, જેણે આપણી દરેક અર્થવ્યવસ્થા નષ્ટ કરી દીધી છે. હવે આ નિર્ણયની જવાબદારી કોણ લેશે?
વડાપ્રધાન મોદી દ્વારા 8 નવેમ્બર 2016ના રોજ 500 તથા 1000 રૂપિયાના નોટને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત કરાઇ હતી.