ગુજરાત

gujarat

દક્ષિણ એશીયાના પુરથી અસરગ્રસ્ત થયેલા દેશો માટે EU દ્વારા 1.65 મીલિયન યુરોની મદદની ઘોષણા કરવામાં આવી

By

Published : Aug 12, 2020, 2:32 AM IST

ભારતના કેટલાક ભાગો તેમજ બાંગ્લાદેશ અને નેપાળ પુર અને ભુસ્ખલનની અસરોમાંથી પસાર થઈ રહ્યા છે, તેવામાં યુરોપીયન યુનીયને (UE) મંગળવારે દક્ષિણ એશીયાના આ દેશો માટે 1.65 મીલિયન યુરોની માનવતાવાદી સહાયની ઘોષણા કરી છે.

ETV BHARAT
દક્ષિણ એશીયાના પુરથી અસરગ્રસ્ત થયેલા દેશો માટે EU દ્વારા 1.65 મીલિયન યુરોની મદદની ઘોષણા કરવામાં આવી

નવી દિલ્હી: ભારતના કેટલાક ભાગો તેમજ બાંગ્લાદેશ અને નેપાળ પુર અને ભુસ્ખલનની અસરોમાંથી પસાર થઈ રહ્યા છે, તેવામાં યુરોપીયન યુનીયને (UE) મંગળવારે દક્ષિણ એશીયાના આ દેશો માટે 1.65 મીલિયન યુરોની માનવતાવાદી સહાયની ઘોષણા કરી છે.

આ પહેલા મે મહિનામાં ભારત અને બાંગ્લાદેશમાં આવેલા અમ્ફાન ચક્રવાત સહિતની કેટલીક કુદરતી આફતોથી પીડિત પરીવારો માટે 1.8 મીલિયન યુરોની સહાયની ઘોષણા કરી હતી અને હવે ફરી એક વાર 1.65 મીલિયન યુરોની સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેથી સહાયની કુલ રકમ 3.45 મીલિયન યુરો સુધી પહોંચી છે.

એશીયા અને પેસીફિકમાં યુરોપીયન યુનિયનના માનવતાવાદી કાર્યક્રમો પર દેખરેખ રાખી રહેલા તાહિની થમ્માનાગોડાએ પોતાના નિવેદનમાં જણાવ્યુ હતુ કે, “આ વર્ષે ચોમાસાનો વરસાદ આખા દક્ષિણ એશીયા માટે વિનાશક રહ્યો છે, તેવામાં આ તાકીદની સહાય અમારા માનવતાવાદી કાર્યો કરી રહેલા સંગઠનો અને જૂથોને ખુબ મદદરૂપ સાબીત થશે. આ સહાય વડે તેઓ આ વિનાશક વરસાદમાં છત, આશરો, અને આવકના સાધનો ગુમાવી ચુકેલા લોકોને મદદ કરી શકશે.”

“જે દેશો સૌથી વધુ પ્રભાવીત થયા છે તેમને ધ્યાનમાં રાખીને અમે આ મુશ્કેલીના સમયમાં તેઓ જીવન ટકાવી શકે તે માટે મદદ પહોંચાડીયે છીએ જેથી તેઓ ખુબ જલ્દી પોતાના પગ પર ઉભા થઈ શકે.”

આ પુરથી લગભગ 17.5 મીલિયન લોકો પ્રભાવિત થયા છે. પુરથી પ્રભાવિત વિસ્તારોમાં લોકોએ પોતાના ઘર, પાલતુ પશુ જેવા આવકના સાધનો તેમજ ખતીની જમીન ગુમાવી છે. તેમજ પુરથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં રોડ, હોસ્પીટલ અને સ્કુલ જેવી જાહેર માળખાગત સુવિધાઓને પણ ખુબ નુકસાન પહોંચ્યુ છે.

યુરોપીયન યુનીયને આપેલા નિવેદન પ્રમાણે, “કુલ 1.65 મીલિયન યુરોમાંથી 1 મીલિયન યુરો બાંગ્લાદેશમાં તાત્કાલીક સહાય તરીકે પહોંચાડવામાં આવશે કે જ્યાં 2 મીલિયનથી વધુ લોકોને તાત્કાલીક ખોરાક, પાણી, સ્વચ્છતા તેમજ રહેવા માટે છતની જરૂર છે.”

આ નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ હતુ કે, “ત્યારબાદ 500,000 યુરો ભારતમાં અસરગ્રસ્ત લોકો માટે ખોરાક, રહેણાંક, તાત્કાલીક તબીબી સેવાઓ તેમજ પાણી અને સ્વચ્છતા માટે મોકલવામાં આવશે.”

આ નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વર્ષે અત્યાર સુધીમાં વરસાદને કારણે કુલ 10.9 મીલિયન લોકો પ્રભાવિત થયા છે. આ ઉપરાંત પહેલેથી જ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીનો સામનો કરી રહેલા લોકો આ પુરને કારણે વધુ અસહાય બન્યા છે.”

“નેપાળમાં વરસાદ અને દેશવ્યાપી વિનાશક ભૂસ્ખલન પછી વિસ્થાપીત થયેલા હજારો લોકોની પાણી અને સ્વચ્છતા, છત અને જીવન જરૂરીયાતની વસ્તુઓ તેમજ અન્ય પ્રાથમિક જરૂરીયાતોને પહોંચી વળવા માટે 150,000 યુરોનો ઉપયોગ કરવામાં આવશે.”

યુરોપીયન યુનિયન પોતાના યુરોપીયન સીવિલ પ્રોટેક્શન એન્ડ હ્યુમાનીટેરીયન એઇડ ઓપરેશન્સ (ECHO) દ્વારા દર વર્ષે સંઘર્ષ અને આપત્તીનો ભોગ બનેલા 120 મીલિયન લોકોને મદદ પહોંચાડે છે.

ECHOના એશીયા અને પેસીફિકના રીજનલ ઓફિસરે ETV Bharat દ્વારા કરવામાં આવેલા સવાલોની પ્રતિક્રીયા ઇ-મેઇલ દ્વારા આપતા જણાવ્યું હતુ કે, જેમ જેમ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને નોન-ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝર્સ (NGO) દ્વારા આ મદદનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમ તેમ આ મદદની રકમને વધારવામાં આવી રહી છે.

લોકો સુધી માનવતાવાદી સેવા અને મદદ પહોંચાડવા માટે ECHO વિશ્વભરમાં 200 જેટલી ભાગીદાર સંસ્થાઓ સાથે કામ કરે છે. આ ભાગીદારોમાં NGO, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, યુએન એજન્સી તેમજ યુરોપીયન યુનીયનના સભ્ય દેશોમાં આવેલી તેમની વિશેષ એજન્સીઓનો સમાવેશ થાય છે.

આ સંદર્ભમાં ચક્રવાત અમ્ફાન પછીની વધારો કરાયેલી કેટલીક સહાયનો ઉલ્લેખ કરીને બાયરોએ જણાવ્યુ હતુ કે, “એમ્ફાન ચક્રવાતથી પીડિત લોકો માટે આપવામાં આવેલા ફંડમાથી યુરોપીયન યુનીયને 51,000 લોકો સુધી ભોજન, આર્થિક સહાય (બિનશરતી કેશ ટ્રાન્સફર), પાણી અને સ્વચ્છતા તેમજ રહેવા માટેની વ્યવસ્થા સહિતની મદદ પહોંચાડી હતી.”

મંગળવારે જાહેર કરવામાં આવેલુ ફંડ યુરોપીયન યુનિયનના ‘એક્યુટ લાર્જ ઇમર્જન્સી રીસ્પોન્સ ટુલ’ (ALERT)નો એક ભાગ છે.

યુરોપીયન યુનીયને પોતાના નિવેદનમાં જણાવ્યુ હતુ કે, “સહાયના આ દરેક પ્રોગ્રામમાં કોરોના વાઇરસને ફેલાતો રોકવાના પગલાને પણ સામેલ કરવામાં આવશે.”

જયાં કુદરતી આફતને કારણે 100,000થી વધુ અથવા કુલ વસ્તીના 50 ટકા લોકો અસરગ્રસ્ત થયા હોય ત્યાં ALERT દ્વારા સહાય પહોંચાડવામાં આવે છે.
અરોનીમ ભૂયાન

ABOUT THE AUTHOR

...view details