ગુજરાત

gujarat

ઓવૈસીનો મોદી સરકારને ટોણો, કહ્યું તાજમહેલ ન હોત તો પેટ્રોલ મોંઘુ ન હોત

By

Published : Jul 5, 2022, 10:47 PM IST

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને વડાપ્રધાન (PM Narendra Modi) નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. પેટ્રોલ ડીઝલની વધી રહેલી કિંમત પણ તેઓ અગાઉ પણ અનેક વખત ટોણો મારી ચૂક્યા છે. આ વખતે હવે વધુ એક વખત મોદી સરકાર (Modi Government Delhi) પર ટોણો મારીને પેટ્રોલ ડીઝલની કિંમત પર નિશાન તાંક્યું છે.

ઓવૈસીનો મોદી સરકારને ટોણો, કહ્યું તાજમહેલ ન હોત તો પેટ્રોલ મોંઘુ ન હોત
ઓવૈસીનો મોદી સરકારને ટોણો, કહ્યું તાજમહેલ ન હોત તો પેટ્રોલ મોંઘુ ન હોત

નવી દિલ્હીઃ હૈદરાબાદના સાંસદ (MP Hyderabad) અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) પાર્ટીના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ (AIMIM ASADUDDIN OWAISI) કેન્દ્રની મોદી સરકાર પર નિશાન તાંક્યું છે. તેમણે કહ્યું કે દેશમાં મોંઘવારી માટે મુઘલો જવાબદાર (Mughal Dynasty not Responsible) નથી. "જો તાજમહેલ ન હોત તો આજે પેટ્રોલની કિંમત 40 રૂપિયા પ્રતિ લીટર હોત," ઓવૈસીએ જનસભામાં કહ્યું કે દેશની તમામ સમસ્યાઓ માટે શાસક પક્ષ મુઘલો અને મુસ્લિમોને જવાબદાર ઠેરવી રહ્યો છે. 'દેશમાં યુવાનો બેરોજગાર છે, મોંઘવારી વધી રહી છે, ડીઝલ 102 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃગુજરાતની ચૂંટણી માટે કોંગ્રેસની રણનીતિ: પ્રભારી રઘુ શર્માએ કહી આ વાત

મુઘલ શાસનનો ઉલ્લેખઃ તેમણે પોતાની વાતમાં એવું પણ કહ્યું કે, હકીકતમાં આ બધા માટે ઔરંગઝેબ જવાબદાર છે, (PM Narendra Modi) મોદી નહીં. બેરોજગારી માટે બાદશાહ અકબર જવાબદાર છે. આજે પેટ્રોલ 104 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે, જેના માટે તે જવાબદાર છે, જેમણે તાજમહેલ બનાવ્યો છે. ઓવૈસીએ એમ પણ કહ્યું કે, 'જો તેણે તાજમહેલ ન બનાવ્યો હોત તો આજે પેટ્રોલની કિંમત 40 રૂપિયા પ્રતિ લીટર હોત. 'વડાપ્રધાન, હું સ્વીકારું છું કે શાહજહાંએ તાજમહેલ અને લાલ કિલ્લો બનાવીને ભૂલ કરી છે. તેણે તે પૈસા બચાવી લેવા જોઈતા હતા જેથી તે 2014માં મોદીજીને સોંપવામાં આવ્યા હોત.

મુસ્લિમ જવાબદારઃતેઓ કહે છે કે દરેક મુદ્દે મુસ્લિમો જવાબદાર છે, મુઘલો જવાબદાર છે. 'ભારતના ઈતિહાસમાં માત્ર મુઘલોએ જ ભારત પર રાજ કર્યું, શું અશોક કે ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન ન હતું? પરંતુ ભાજપ સરકારને માત્ર મુઘલો જ દેખાય છે. તેઓ એક આંખમાં મુઘલ અને બીજી આંખમાં પાકિસ્તાન જુએ છે. 'ભારતના મુસ્લિમોને મુઘલ કે પાકિસ્તાન સાથે કોઈ લેવાદેવા નથી.

આ પણ વાંચોઃભારતીય બંધારણ એ લોકોને લૂંટવા માટે યોગ્ય છે: સાજી ચેરિયનનું વિવાદાસ્પદ ભાષણ

ભારત નહીં છોડીએઃ અમે ઝીણાના સંદેશને નકારી કાઢ્યો અને દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યા છીએ. આ દેશના 200 મિલિયન મુસ્લિમો એ વાતના સાક્ષી છે કે તેમના પૂર્વજોએ પાકિસ્તાનના સંદેશને નકારી કાઢ્યો. ભારતમાં જ રહ્યા. ભારત આપણો દેશ છે. અમે ભારત છોડીશું નહીં. તમે ગમે તેટલા નારા લગાવો, અમને જવા માટે કહો. અમે અહીં રહીશું અને આ માટીમાં દફનાવીશું.

ABOUT THE AUTHOR

...view details