પટના: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ મોદીનું 72 વર્ષની વયે નિધન થયું છે. તેમણે દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા.તેમના નિધનથી તેમના પરિવાર સહિત ભાજપ છાવણીમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.
બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદીનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ - sushil modi passed away
Published : May 13, 2024, 10:53 PM IST
બિહાર ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીનું દિલ્હી એમ્સમાં નિધન થયું છે. તે કેન્સર સામે લડી રહ્યો હતો. તેણે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા X પર તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. bihar former deputy cm sushil modi passed away
![બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદીનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ - sushil modi passed away બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ મોદીનું નિધન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-05-2024/1200-675-21462521-thumbnail-16x9-jpg.jpg)
બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ મોદીનું નિધન (Etv Bharat)
બિહાર ભાજપના આધિકારીક એક્સ હેન્ડલ પરથી તેમને શ્રદ્ધાંજલિ આપતી એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં લખ્યું છે 'બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી સુશીલ કુમાર મોદીના નિધનના સમાચારથી ભાજપ પરિવાર અત્યંત દુખી છે. અમે એક મહાન ફાઇટર ગુમાવ્યા. આ ક્યારેય ભરપાઈ કરી શકાતું નથી'.