અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટમાં સાડા ચાર વર્ષના સમયગાળા દરમિયાન વહીવટદારની બદલી

By

Published : Feb 14, 2022, 8:44 PM IST

Updated : Feb 3, 2023, 8:12 PM IST

thumbnail

શક્તિપીઠ અંબાજીના અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટમાં(Administration of Ambaji Temple ) છેલ્લા સાડા ચાર વર્ષના સમયગાળા દરમિયાન વહીવટદાર તરીકે ચાર્જમાં ફરજ બજાવતા ડેપ્યુટી કલેકટર સુધેન્દ્રસિંહ ચાવડાની અમદાવાદના દ્રસ્કોઇ ખાતે પ્રાંતઅધિકારી(Draskoi Province Officer of Ahmedabad) તરીકે બદલી થતા અંબાજી મંદિરમાં તેમનો મંદિર ટ્રસ્ટની તેર જેટલી વિવિધ સંસ્થાઓ સહીત અનેક વિભાગો દ્વારા તેમનો શુભેચ્છાસહ વિદાય સમારોહ યોજી વહીવટદારને(Farewell ceremony with best wishes)વૈદિક મંત્રોચાર દ્વારા કુમકુમ તિલક સાથે માતાજીની ચૂંદડી અને શ્રીફળ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સાડા ચાર વર્ષ સુધી અંબાજી મંદિરના વહીવટદાર (Ambaji Mandir Devasthan Trust )તરીકે રહી ચૂકેલા સુધેન્દ્રસિંહ ચાવડા એ જણાવ્યું હતું કે અંબાજી મંદિરનો વહીવટ એક જિલ્લા પંચાયત જેટલો મોટો વહીવટ છે. જ્યાં શ્રદ્ધાળુઓની આસ્થા અને પ્રોટોકોલની મોટી જવાબદારીઓ રહેતી હોય છે જેને સુચારુ રૂપથી પુરી કરવામાં માતાજીના આશીર્વાદ મળ્યા હતા.

Last Updated : Feb 3, 2023, 8:12 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.