વિજેતા બનેલા ઉમેદવાર દ્વારા વિજેતા સરઘસ કાઢવામાં આવ્યુ
મહીસાગરઃ રાજ્યમાં 28 ફેબ્રુઆરી રવિવારના રોજ 81 નગરપાલિકાની 2,720 બેઠક, 31 જિલ્લા પંચાયતની 980 બેઠક અને 231 તાલુકા પંચાયતની 4,774 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામ માટે આજે મતગણતરી હાથ ધરાઇ છે. ત્યારે મહીસાગર જિલ્લામાં વિજેતા બનેલા ઉમેદવાર દ્વારા વિજેતા સરઘસ કાઢવામાં આવ્યુ હતું.