પોલીસના વીર જવાનોએ નદીની વચ્ચે જઈ લોકોનો આ રીતે બચાવ્યો જીવ

By

Published : Aug 18, 2022, 2:16 PM IST

thumbnail

ભરૂચ નર્મદા નદીના મધ્યમાં નિકોરા બેટમાં 100થી વધુ લોકો વરસાદના કારણે ફસાયા હતા. ત્યારે નબીપુરના પોલીસની ટીમે આ લોકોને રેસ્ક્યૂ કર્યું હતું. પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે. એમ. ચૌધરી ટીમ સાથે બોટ લઈ લોકોને સ્થળાંતર કરાવવા બેટ પહોંચ્યા હતા. આ બેટ પર લોકો પશુપાલન અને ખેતીનું કામકાજ કરતા હોય છે. ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ વધતા આ બેટની ચારે તરફ નદીના પાણી ભરાઈ ગયા હતા. તેના કારણે 100થી વધુ લોકો અહીં ફસાઈ ગયા હતા. તેવામાં તેમને બચાવવા માટે પોલીસ આગળ આવી હતી. નબીપુર પોલીસે આ તમામ લોકોનું સફળતાપૂર્વક સ્થળાંતર કર્યું હતું. Rainwater in Nikora Bat, Migration of people in Nikora Bat, Nabipur Police Rescue Operation,

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.