પોરબંદરના છાયા વિસ્તારમાં ઘરમાં ઘુસી યુવાનની હત્યા

By

Published : Sep 6, 2020, 8:10 PM IST

thumbnail

પોરબંદર: જિલ્લામાં એક યુવાનની હત્યાની ઘટના સામે આવી છે. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા કેશુભાઈ લાખાભાઈ બાપોદરાના ઘરમાં ઘુસી તેમની હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ તેના માતા-પિતાને થતાં તેમણએ પોલીસને જાણ કરી હતી. પોરબંદર DySP સહિત કમલાબાગ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક કેશુભાઈ લાખાભાઈના પરિવારમાં બે ભાઈઓ તથા માતા-પિતા હોવાનું જાણવા મળ્યું છે. આ યુવકની ઘરમાં ઘુસી તિક્ષ્ણ હથિયારના ઘા મારીને કોણે હત્યા કરી તે બાબતે પોલીસે પરિવાર સહિતના લોકોને પૂછપરછ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.