પોરબંદરમાં ભારે વરસાદના લીધે જર્જરિત મકાન ધરાશાયી, કોઈ જાનહાની નહીં

By

Published : Jul 6, 2020, 1:56 PM IST

thumbnail

પોરબંદરઃ જિલ્લામાં ભારે પવન અને વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે પોરબંદરમાં ભાટિયા બજારમાં આવેલુ જર્જરિત મકાન પડી ગયું હતું. મકાન પડવાના કારણે 2 બાઈક અને 1 સાઈકલને નુકસાન થયું હતું. મકાન પડવાના સમાચાર મળતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ કોઇ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લામાં આગામી સમયમાં વધુ વરસાદ અને પવનની આગાહી હોવાથી કોઇ નુકસાન ન થાય અને જાનહાનિ ન થાય તે માટે NDRFની ટીમ પણ પોરબંદર પહોંચી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.