માંગરોળમાં અવિરત મેઘ મહેરથી ખેડુતો ચિંતિત...

By

Published : Sep 29, 2019, 2:11 PM IST

thumbnail

જૂનાગઢઃ માંગરોળ પંથકમાં છેલ્લા 4 દિવસથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને માંગરોળ જળબંબાકાર થઈ ગયું છે, ત્યારે માંગરોળના ઘેડ પંથકના 13 ગામોના પરિવાર બેટમાં ફેરવાયા છે અને માંગરોળના ઘેડ પંથકના ગામોમાં ખેડુતોએ વાવેતર કરેલ હજારો એકર જમીનમાં મગફળીના વાવેતરનું પણ ધોવાણ થયું છે. માંગરોળ પંથકમાં અવિરત મેઘ મહેરથી ખેડુતો ચિંતામાં મુકાયા છે અને મગફળી કપાસ સહીતના પાકો નિષ્ફળ જાય તેવી શંકા સેવાઇ રહી છે. જેથી ખેડૂતો વરસાદ બંધ રહે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.