મોરબીમાં નર્મદાની બ્રાંચ કેનાલ ઓવરફલો થતા ખેતરોમાં પાણી ઘુસ્યા
મોરબીઃ માઇનોર કેનાલમાં સાઈફનમાં સફાઈના અભાવે કચરો ફસાતા કેનાલનું પાણી ઓવરફ્લો થયું હતું. આ પાણી ચકમપર ગામના અનેક ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું હતું. જેનાથી ઘઉં અને જીરાના પાકનું ધોવાણ થયું. કેનાલના પાણીએ રવીપાક પર પાણી ફરી જતા, ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી પરિસ્થિતી સર્જાઈ છે. હવે ખેડૂતો સહાય માટે માગ કરી રહ્યા છે. જો વહેલી તકે સહાય કરવામાં નહીં આવે, તો ખેડૂતોના માથે દેવાનો બોજો વધી જશે.