સરકાર દ્વારા ખેડૂતોને વધુ બે કલાક વીજળી આપવાના નિર્ણયને ઓલપાડના ખેડૂતોએ આવકાર્યો
સુરતઃ રાજ્યમાં હાલ વરસાદ ખેંચાયો છે. જેના લીધે ખેડૂતોનો પાક પાણીના આભાવે સુકાઈ રહ્યો છે. ત્યાંરે રાજય સરકાર દ્વારા ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ખેડૂત લક્ષી નિણર્યને ઓલપાડ તાલુકાના ઉમરાચી ગામના ખેડૂતોએ આવકાર્યો છે. જોકે, સ્થાનિકોએ આ નિર્ણયનો સરકાર અધિકારીઓ પાસે કડક પાલન કરાવે તેવી અપીલ કરી હતી.