ભરૂચ સિવિલ હોસ્પિટલની નવીનીકરણની કામગીરી દરમિયાન વધુ એક બેદરકારી...
ભરૂચ: સિવિલ હોસ્પિટલની નવીનીકરણની કામગીરી દરમિયાન વધુ એક બેદરકારી સામે આવી હતી. જેમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન ક્રેઈનમાંથી લોખંડનાં કાટમાળનો મોટો જથ્થો બાજુમાં આવેલ પાર્ટી પ્લોટમાં પડતા અફરાતફનો માહોલ સર્જાયો હતો. પરંતુ, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.પરંતુ, એક બાઇકને નુકશાન પહોંચ્યુ હતું, ત્યારે કોઇ મોટી જાનહાની થઇ હોત તો જવાબદાર કોણ તેવા અનેક સવાલ ઉઠી રહ્યાં છે.