જામનગરમાં નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ શરૂ, ગુનાખોરીનો આવશે અંત
જામનગરઃ શહેરમાં 270 કેમેરાથી રહેશે નજર અમદાવાદથી ગૃહ પ્રધાન અમિત શાહે નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટને ખુલ્લો મુકયો છે. જામનગરમાં ગુનાખોરી અટકાવવામાં નેત્રમ વિશ્વાસ પ્રોજેકટમાં લગાવેલા કેમેરા મહત્વની ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે, હવે લોકોને ઇમેમો CCTVની મદદથી આપવામાં આવશે. તેમજ ટ્રાફિક સમસ્યાને પણ ઉકેલવામાં CCTV મદદરૂપ બનશે.