લોક ગાયક કીર્તિદાન ગઢવીએ કોરોના વાયરસ પર બનાવ્યું ગીત
રાજકોટઃ કોરોના વાયરસને લઈને વધુમાં વધુ લોકો જાગૃત થાય, તે માટે વિખ્યાત લોક ગાયક કીર્તિદાન ગઢવીએ ગીત બનાવ્યું છે. હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ આ ગીત લખ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં આ ગીત વાયરલ થઈ રહ્યું છે. જેને લઈને ETV BHARAT દ્વારા કીર્તિદાન સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં કીર્તિદાને લોકોને વધુમાં વધુ જાગૃત થવા અપીલ કરી હતી.