જામનગરમાં લોકડાઉનના પગલે કલેક્ટરે સ્થિતિનું નિરિક્ષણ કર્યું
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6551284-138-6551284-1585227077177.jpg)
જામનગરઃ ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાઇરસની મહામારી ફેલાયેલી છે ત્યારે શહેરમાં જિલ્લા કલેકટર એસ. રવિશંકરે કાફલા સાથે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફર્યા હતા અને સ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા સતત લોકોને એડવાઇઝરી આપવામાં આવી રહી છે કે, તેઓ ઘરની બહાર ના નીકળે. જોકે તેમ છતાં અમુક લોકો ખોટા બહાના બનાવી ઘરની બહાર નીકળી રહ્યા છે.