અમદાવાદના આનંદનગરમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગી, 30 ઝૂંપડા બળીને ખાખ

By

Published : May 25, 2021, 1:35 PM IST

Updated : May 25, 2021, 1:42 PM IST

thumbnail

અમદાવાદ: આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે આવેલાં ઝૂંપડાંમાં ભીષણ આગ લાગી હતી. ચારેકોર આગના ગોટેગોટાને કારણે લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે. 30થી વધારે ઝૂંપડાંમાં આગ લાગતાં ફાયરબ્રિગેડની 15 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. એમ્બ્યુલન્સ અને પોલીસ પણ હાલ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. થોડી ઘણી આગ કાબુમાં આવી છે. ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા લોકોને દુર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગ વધુ ભીષણ બનતા વધુ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી છે. ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવી રહી છે.

Last Updated : May 25, 2021, 1:42 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.