દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે આશ્રમ રોડ પાસે આવેલા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. મહત્વનું એ છે કે, મીડિયામાં પોતાની ભૂમિકા ભજવી ચૂકેલા ઇસુદાન ગઢવીએ પણ સર્કિટ હાઉસ ખાતે કેજરીવાલ સાથે મુલાકાત કરી છે. આ તરફ કાર્યાલય ખાતે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. મનપામાંથી ફાયર વિભાગની ટિમ કાર્યરત કરાઇ છે. કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઢોલ નગાડા સાથે તેઓ અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા આતુર છે.