જૂનાગઢનો દામોદર કુંડ છેલ્લા 48 કલાકમાં છ વખત થયો ઓવરફ્લો

By

Published : Jul 7, 2020, 3:05 PM IST

thumbnail

જૂનાગઢઃ શહેર અને ગિરનાર પર્વત પર છેલ્લા 48 કલાકથી સતત અને ધીમી ધારે અવિરત મેઘ સવારી થઈ રહી છે. જેના કારણે ગિરનાર પર્વત અને આસપાસના વિસ્તારોમાંથી વરસાદી પાણીનો પ્રવાહ સતત ગિરિ તળેટી તરફ આવી રહ્યો હોવાથી પવિત્ર દામોદર કુંડ છેલ્લા 48 કલાકમાં છ વખત ઓવરફલો થયો છે. ગિરનાર અને તેની આસપાસની પર્વતમાળાઓ પર સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.