તાપીના સોનગઢ ખાતે ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું કરાયું ભવ્ય સ્વાગત
તાપી સોનગઢ ખાતે યોજાયેલા ભારતીય જનતા પાર્ટીનાં સ્નેહમિલન કાર્યક્રમમાં (BJP program) મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Cm Bhupendra patel), પ્રદેશ અઘ્યક્ષ પાટીલ (C R Paatil) સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મજબુત સંગઠનની રચના દ્વારા આવનારા ચૂંટણીઓને (Assembly Election 2022 ) સર કરવાની પ્રદેશ અઘ્યક્ષ સીઆર પાટીલે હાકલ કરી હતી, સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની પણ વાતો કરી હતી. આ સાથે મુખ્યપ્રધાન દ્વારા જિલ્લા સેવા સદન નજીક ભગવાન બિરસા મુંડા સર્કલની પ્રતિમાનું ઇ-ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યપ્રધાને સરકાર અને સંગઠન દ્વારા સાથે મળીને કામ કરવાનું આહવાહન કર્યું હતું.