છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે રોજગાર ભરતીમેળો યોજાયો

By

Published : Feb 5, 2020, 5:18 AM IST

thumbnail

છોટાઉદેપુર: દરબાર હોલમાં જિલ્લા નગર રોજગાર કચેરી દ્વારા જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર કે.એસ.વસાવાના અધ્યક્ષ સ્થાને રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં અધિક કલેક્ટરે પ્રેણાત્મક માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. આ રોજગાર ભરતીમેળામાં 11 નોકરી દાતાઓ અને 373 રોજગાર વાચ્છુક ઉમેદવારો હાજર રહ્યા હતા. જેથી 280 જગ્યા માટે રોજગાર વાચ્છુક ઉમેદવારોના લેખિતમાં ઈન્ટરવ્યું લેવામાં આવ્યાં હતા. જેમાં 249 ઉમેદવારોની પસંદગી કરી આગળની ભરતી માટે ઓફર લેટર આપવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.