ગોધરામાં મહિલા કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

By

Published : Dec 24, 2019, 1:01 PM IST

thumbnail

ગોધરાઃ શહેરમાં રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયાની ઉપસ્થિતિમાં નારી સંમેલન અને કાયદા શિબિર યોજાઈ હતી. જેમાં જિલ્લાની બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ શિબિરમાં કાયદાકીય જાણકારી આપવામાં આવી હતી. શિબિરનો મુખ્ય હેતુ મહિલાને થતી ઘરેલૂ હિંસા, શારિરીક અને માનસિક શોષણ સામે અવાજ ઉઠાવવા માટે કટિબદ્ધ કરવાની છે. આ શિબિર ગુજરાત મહિલા આયોગ અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. જેમાં જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલે સૌ મહિલાને કાયદાની સમજ આપી હતી. આ ઉપરાંત ભવિષ્યમાં કોઈ સમસ્યા સર્જાય તો કેવા પગલાં લેવા તે અંગે માહિતગાર કર્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.