એક પરિવારે હર ઘર તિરંગા અભિયાનને લઈને શણગારી દીધું આખા ઘરને
ભારત દેશ 75મો આઝાદી પર્વ ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન બાદ દેશભરમાં હર ઘર તિરંગા Azadi ka Amrit Mohotsav અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે સુરતમાં એક સોરઠીયા પરિવારએ પોતાના ઘરને આ અભિયાન અતંર્ગત national flag લાઇટીંગથી સજાવી દીધું છે. લાઇટિંગ એવી કરી છે કે દૂરથી જ તિરંગા નજર આવે. આ એક સામાન્ય નાગરિકનું ઘર છે અને પરિવારમાં કોઈ પણ વ્યક્તિ રાજકારણ સાથે જોડાયેલો નથી, પરંતુ આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા Har Ghar Tricolor અભિયાનમાં સામેલ થવા માટે આ પરિવારએ ઘરને લાઇટિંગ તિરંગાના રંગમાં રંગીને દેશભક્તિનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST