Navratri 2023: મનોદિવ્યાંગ બાળકોએ મા અંબાના બેઠા ગરબા કરીને સૌને કર્યા મંત્રમુગ્ધ

By ETV Bharat Gujarati Team

Published : Oct 8, 2023, 1:40 PM IST

thumbnail

જૂનાગઢ: 15મી તારીખથી મા જગદંબાના નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે ત્યારે જૂનાગઢના મનોદિવ્યાંગ બાળકોએ નવરાત્રી પૂર્વે મા જગદંબાના બેઠા ગરબામાં ભાગ લઈને સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા દિવ્યાંગ બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં તેમની આવડત અનુસાર મા જગદંબાના ગરબા કરીને ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા. આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકો સમાજ જીવનમાં પુનઃસ્થાપન થાય તે માટેની તાલીમ આપવામાં આવી રહી છે તે અંતર્ગત તમામ ધાર્મિક તહેવારોમાં મનોદિવ્યાંગ બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટેનું આયોજન સતત થતું રહે છે. ત્યારે આજે બેઠા ગરબામાં મનોદિવ્યાંગ બાળકોએ ખેલૈયાની માફક ડ્રેસમાં સુસજ્જ બનીને ગરબા કર્યા હતા. જેને ઉપસ્થિત સૌ કોઈએ વધાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.