Ganesh Visarjan 2023 : બાપ્પા વિસર્જિત થતા યુવતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી, બાપ્પા પ્રત્યેનો લગાવ આંસુરુપે વહ્યો

By ETV Bharat Gujarati Team

Published : Sep 28, 2023, 5:30 PM IST

thumbnail

સુરત : આજે દેશભરમાં ગણેશજીની વિદાય થઈ રહી છે. વિસર્જનના દિવસે સુરત શહેરના હજીરા વિસ્તારમાં બાપ્પાની વિદાય સુરતની યુવતી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. છેલ્લા દસ દિવસથી શ્રીજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી પરંતુ જ્યારે બાપ્પાની વિદાયનો સમય થયો ત્યારે યુવતી આટલી હદે દુઃખી થઈ ગઈ કે તે વિસર્જનના સમયે રડવા લાગી હતી. શહેરના ગોપીપુરા વિસ્તારમાં રહેતી દેવાંશી શ્રીજીને વિદાય થતા જોઈ શકતી નહોતી. જેના કારણે તે રડવા લાગી હતી. દેવાંશીને રડતા જોઈ પરિવારના લોકો તેને સમજાવવા લાગ્યા હતાં. પરંતુ ગણેશ ભક્ત દેવાંશી પોતાના વિસર્જિત થઈ રહેલા ગણેશજીને જોઈ રહી હતી. સુરતમાં દરેક ઉંમરના લોકોમાં બાપ્પા પ્રત્યેનો લગાવ જોવા મળી રહ્યો છે.

  1. Ganesh Visarjan 2023 : સુરતમાં હર્ષ સંઘવી ગણેશ વિસર્જનમાં જોડાયા, ક્રેનમાં બેસી સમુદ્ર વચ્ચે પ્રતિમાનું વિસર્જન કર્યું
  2. Ganesh Visarjan 2023: 20 કૃત્રિમ તળાવ અને ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરત શહેરમાં ગણેશજીની વિદાય શરૂ

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.