Ahmedabad Rathyatra 2023: વહેલી સવારથી ભક્તો પહોંચ્યા જગન્નાથ મંદિર

By

Published : Jun 20, 2023, 7:20 AM IST

Updated : Jun 20, 2023, 8:47 AM IST

thumbnail

અમદાવાદઃ અમદાવાદ જમાલપુર ખાતેથી ભગવાન જગન્નાથની ઐતિહાસિક 146મી રથયાત્રા આજે અમદાવાદથી નીકળશે ત્યારે વહેલી સવારે ત્રણ વાગ્યાથી ભાવિk ભક્તો મંદિરે પહોંચી રહ્યા છે, લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. વહેલી સવારે 4 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી. જેમાં દેશના ગૃહ પ્રધાન અમિત શાહ હાજર રહ્યા હતા. જ્યારે પહિંદ વિધિની ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કરી હતી. આ રથયાત્રાની આગળ સૌથી પહેલા 18 શણગારેલા ગજરાજો, ત્યાર પછી ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક જોડાશે. અંગ કસરતના દાવ કરતા 30 અખાડાની પાછળ 18 ભજનમંડળીઓ અને 3 બેન્ડવાજા જોડાશે. દેશભરમાંથી 2000થી વધુ સાધુ સંતો આવ્યા છે, તે પણ આ રથયાત્રામાં જોડાશે. 1000થી વધુ ખલાસીઓ ભાઈઓ રથને દોરડાથી ખેંચીને નગરચર્ચા કરાવશે. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને ભક્તો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી ભક્તોની જગન્નાથ મંદિરે લાઈનો જોવા મળી રહી હતી. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથજીને પ્રસાદી મોકલ્યો છે. ઉલ્લેખનીય છે કે, રથયાત્રાને લઈને છેલ્લા કેટલાક દિવસથઈ ભક્તો દ્વારા તૈયારી કરવામાં આવી રહી હતી. ત્યારે આજે વહેલી સવારે કેન્દ્રીય પ્રધાને અમિત શાહે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રસાદ સ્વરુપે પોતાની હાજરી અવશ્ય નોંધાવી છે. 

શહેરભરમાંથી લોકો ઉમટશે : રથયાત્રા દરમિયાન રથમાં ભગવાન જગન્નાથની સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના દર્શન કરવાનો લહાવો મળશે. ભગવાન જગન્નાથના દર્શન કરવા શહેરભરમાંથી ભક્તો ઉમટી પડશે. શહેરના અનેક સંવેદનશીલ વિસ્તારોમાંથી રથ પસાર થશે, જેના કારણે 26 હજારથી વધુ પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા છે. ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રથમવાર 3D મેપિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેનું ઓનલાઈન ટ્રેક કરાશે. લાઈવ ફીડ મેળવ્યા બાદ જાણી શકાશે કે, રથ ક્યાં છે, સ્થળ પર શું સ્થિતિ છે. આ તમામ બાબતોની પડે પળની નજર કંટ્રોલ રૂમમાંથી રાખવામાં આવશે.

PM મોદીએ પ્રસાદી સ્વરુપે હાજરી નોંધાવી : PM મોદી ભલે રથયાત્રા દરમિયાન અમદાવાદમાં હાજર ન હોય પરંતુ તેમ છતાં તેઓ કોઈને કોઈરીતે પોતાની હાજરી અવશ્ય નોંધાવતા હોય છે. ભગવાન જગન્નાથના જગન્નાથ માટે મગ, કાકડી, જાંબુ, કેરી, દાડમ, ડ્રાયફુટનો પ્રસાદ મોકલ્યો છે. ભુતકાળમાં તેઓ જમાલપુર ખાતે રહેતા અને ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યાથી આ પરંપરા તેમણે જાળવી હતી. તેમજ હાલ દિલ્હી ગયા પછી પણ તેઓ દર એકમના દિવસે ભગવાન જગન્નાથ માટે પ્રસાદી મોકલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની રથયાત્રા એકદમ અનોખી જોવા મળશે. કારણ કે, આ વર્ષે રથયાત્રા સાથે 18 ગજરાજ,101 ટ્રક અને 30 અખાડા જોડાશે.

Last Updated : Jun 20, 2023, 8:47 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.