Ahmedabad Accident : વિદ્યાર્થીઓ ભરેલી રીક્ષાએ ખાધી પલટી, તમામ બાળકોનો આબાદ બચાવ

By

Published : Aug 17, 2023, 8:16 PM IST

thumbnail

અમદાવાદ : નારોલ વિસ્તારમાંથી હાલમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. અંદાજે 7 જેટલા વિદ્યાર્થીઓ ભરેલી એક રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જોકે, આ અકસ્માતમાં તમામ બાળકોનો આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનિય છે કે, આ રસ્તા પર કાદવ હોવાથી બાળકોને કોઈ ઈજા પહોંચી નહોતી. પરંતુ લોકોનો આક્ષેપ છે કે, આ કાદવ ભરેલા બિસ્માર રોડના કારણે જ અકસ્માત થયો છે.

રીક્ષા પલટી : નારોલ વિસ્તારમાં ખરાબ રોડ-રસ્તા તેમજ કાદવ કિચડ વાળા રસ્તા છે. જેના પરથી નાના વિદ્યાર્થીઓને લઈને પસાર થઈ રહેલ રીક્ષા કાદવવાળા રોડમાં અચાનક પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે તમામ વિદ્યાર્થીઓનો બચાવ થયો છે. રિક્ષામાં અંદાજિત 7 જેટલા વિદ્યાર્થીઓ હતા. કોઈપણ વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયેલ ન હોવાથી ત્યાંના સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

  1. Ahmedabad Accident: નશામાં ડ્રાઈવ કરતા નબીરાએ બાકડા સાથે કાર અથડાવી, અંદરથી નીકળી બીયરની બોટલ
  2. Kayaking Boating Accident : સાબરમતી નદીમાં બોટિંગ કરતી યુવતી અચાનક નદીમાં પડી પછી...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.