યુક્રેનમાં ઈજાગ્રસ્ત હરજોત સિંહ સહિત 200 વિદ્યાર્થીઓ કાલે ભારત પરત ફરશે

By

Published : Mar 7, 2022, 1:24 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

thumbnail

ન્યૂઝ ડેસ્ક:  યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં ભારતીયોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેનમાં સ્થાયી થયેલા ભારતીયો કોઈ પણ રીતે પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ દરમિયાન ત્યાં રહેતા એક ભારતીય હરજોત સિંહે પણ મુશ્કેલીનો સામનો કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. ભારતીય વિશ્વ મંચના પ્રમુખ પુનીત સિંહ ચંડોકે જણાવ્યું કે, ઈજાગ્રસ્ત હરજોત સિંહ યુક્રેનની સરહદ પાર કરીને પોલેન્ડમાં પ્રવેશ કર્યો છે. તેમની સાથે ભારતીય રાજદ્વારીઓ પણ સાથે છે. તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં બોર્ડર પર રેડક્રોસ દ્વારા એમ્બ્યુલન્સ આપવામાં આવી છે. યુક્રેનના કિવમાં હરજોત સિંહ નામના શખ્સને શરીરના અનેક ભાગોમાં ગોળીઓ વાગી હતી. જ્યારે કેન્દ્રીય પ્રધાન જનરલ (નિવૃત્ત) વીકે સિંહે ટ્વિટ કરીને લખ્યું હતું કે, કિવમાં ગોળીથી ઈજાગ્રસ્ત થયેલા ભારતીય નાગરિક હરજોત સિંહ સહિત લગભગ 200 વિદ્યાર્થીઓ ગાઝિયાબાદના હિંડોન એરબેઝ પર પહોંચી રહ્યા છે.

Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.