જન્માષ્ટમી પર્વે દ્વારકા મંદિર રોશનીથી ઝળહળી ઊઠ્યું
દેશભરમાં જન્માષ્ટમીની ધૂમધામ પૂર્વક ઉજવણી થઇ રહી છે, ત્યારે દ્વારકામાં જન્માષ્ટમીનું અનોખું મહત્વ છે. રાજાધિરાજ ભગવાન કૃષ્ણએ અહીં રાજ કર્યું હતું, ત્યારે દ્વારકા નગરીમાં મંદિરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે. જન્માષ્ટમી નિમિત્તે ભક્તો અહી દર્શન કરવા આવતા હોય છે, ત્યારે આ વર્ષે પણ ભક્તો દર્શન કરવા આવ્યા છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે મંદિરને ખુબ જ સરસ રોશનીથી ઝળહળીત કરવામાં આવ્યું છે.