જામનગરમાં વિજયાદશમી નિમિત્તે ક્ષત્રિય સમાજે શસ્ત્ર પૂજન કર્યું

By

Published : Oct 8, 2019, 7:17 PM IST

thumbnail

જામનગર: શહેરના રાજપૂત સેવા સમાજે વિજયાદશમી નિમિતે શસ્ત્ર પૂજાવિધિ કરી હતી. જેમાં રાજપૂતો પોતાના રાજવી સાફાઓ પહેરીને જોડાયા હતા. જામનગરમાં બહોળી સંખ્યામાં યુવા રાજપૂતો જોડાયા હતા. આ પૂજાવિધિમાં રાજપૂતના ઘરેણાં સમાન બહાદુરીના પ્રતિક એવી તલવાર સાથે આધુનિક પિસ્તોલ અને બંધુકની પણ પૂજા કરવામાં આવી હતી. રાજપૂતોએ પોતાના શસ્ત્રોની અબીલ ગુલાલ તથા પુષ્પો દ્વારા પૂજા કરી હતી. રાજપૂતોએ પોતાના કુળદેવી માઁ આશાપુરાને પ્રાર્થના કરી હતી કે, પવિત્ર વિજયાદશમીએ સમાજમાં વ્યાપેલી ગરીબી, લાચારી અને ભોગની વૃત્તિના સમાજના અનિષ્ટનો નાશ કરવાની શક્તિ આપજે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.