રામમંદિર શિલાન્યાસ પ્રસંગે વડોદરામાં NSUI દ્વારા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ઉજવણી
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8310314-thumbnail-3x2-da.jpg)
વડોદરાઃ અયોધ્યામાં શ્રીરામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે શહેરના પંચમુખી હનુમાનજી મંદિર ખાતે NSUI દ્વારા પૂજા અર્ચના કરી મીઠાઈ વહેંચવામાં આવી હતી. અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે શહેરના NSUI દ્વારા પંચમુખી હનુમાન મંદિરે પ્રમુખ વ્રજ પટેલની આગેવાનીમાં અગ્રણી કૃપલ પટેલ તેમજ તનું સીસોદીયા સહિત હોદ્દેદારોએ હનુમાન દાદાને પ્રસાદીનો ભોગ ધરાવીને લોકોને પ્રસાદ અને માસ્કનું વિતરણ કર્યું હતું.