જોખમ: અમદાવાદના નારોલ રોડ ઉપર કચરાનો ઢગલો સળગાવાયો
અમદાવાદઃ નારોલથી વિશાલા તરફ જતા રોડ પર આવેલા ખુલ્લા ખેતરમાં એગ્રો સીડ્સના બોર્ડની આસપાસ કચરાનો ઢગલો ખડકી દેવામાં આવ્યા હતો. પરંતુ, કચરાનો નાશ કરવા માટે તેને સરેઆમ બાળવામાં આવ્યો હતો. આ કચરાના ઢગલામાં પ્લાસ્ટિક પણ બાળવામાં આવ્યું હતું. એક તરફ સરકાર પોલ્યુશનની અસરોની એડવરટાઈસમાં કરોડો રૂપિયાના બગાડ કરી રહી છે, ત્યારે નજર સમક્ષ જાહેરમાં આટલો મોટો લાખો ટન કચરો બાળી અને પ્રદુષણ કરવામાં આવે છે.