જામનગરની આયુર્વેદિક યુનિવર્સીટીમાં પરીક્ષા મામલે AVBPએ મચાવ્યો હોબાળો
જામનગરઃ આયુર્વેદિક યુનિવર્સીટીમાં યુજી અને પીજીની પરીક્ષામાં કન્ટેન્મેન્ટ ઝોનમાંથી આવતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હોવાથી AVBPએ વિરોધ કરી આવેદનપત્ર આપ્યું હતું. જો કે, વાઇસ ચાન્સલેસરની ઓફિસમાં મીડિયા અને AVBPના કાર્યકર્તાઓ આવતા જ વીસી ઓફિસ છોડીને ચાલ્યા ગયા હતા. હાલ કોરોનાની મહામારી હોવાના કારણે વીસીએ ઓફિસ છોડી હતી. બાદમાં AVBPના કાર્યકર્તાઓની સમજાવટથી વાઇસ ચાન્સલેસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું