Omicron Cases India: કોરોના સામે સુરક્ષા ધોરણોમાં બેદરકારી રાખવી પડી શકે છે ભારે

author img

By

Published : Dec 29, 2021, 12:19 PM IST

Omicron Cases in India: સુરક્ષા ધોરણોમાં બેદરકારી રાખવી પડી શકે છે ભારે

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન હવે લોકો માટે (Omicron Cases in India) ચિંતાનો વિષય બન્યો છે. ઓમિક્રોન લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમ છતાં સામાન્ય લોકો બેદરકાર હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત એક અન્ય સમસ્યા પણ છે, જે તે સમયે ઘણી મુશ્કેલીવાળી સાબિત થઈ શકે છે. તે છે ઓમિક્રોન અંગે લોકોમાં ફેલાયેલી અફવા (Carelessness can lead to severe Circumstances of Omicron) અને જાણકારીનો અભાવ.

ન્યૂઝ ડેસ્કઃ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના (Omicron Cases in India) કારણે દેશવાસીઓના માથે ચિંતાના વાદળ જોવા મળી રહ્યા છે, પરંતુ સૌથી વધુ ચિંતાની વાત એ છે કે, વધુને વધુ લોકો તેને અવગણી રહ્યા છે, જેનું પરિણામ એ છે કે, વ્યક્તિગત રીતે મોટી સંખ્યામાં લોકો સુરક્ષા ધોરણોનું યોગ્ય રીતે પાલન નથી (Carelessness can lead to severe Circumstances of Omicron) કરી રહ્યા.

WHOએ ઓમિક્રોનને વેરિયન્ટ ઓફ કન્સર્ન જાહેર કર્યો

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તરફથી ચિંતાજનક એટલે કે વેરિયન્ટ ઓફ કન્સર્ન (Omicron variant of concern) જાહેર કરાયેલા ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા આપણા દેશમાં પણ હવે સતત વધી રહી છે. WHOના (WHO on Omicron Variant) મતે, ઓમિક્રોનના સ્પાઈક પ્રોટીનમાં 30થી વધુ પ્રકારના મ્યુટેશન જોવા મળ્યા છે, જે કોરોનાના પહેલાના કોઈ પણ સ્ટ્રેઈનમાં નહતા. એટલું જ નહીં, ઓમિક્રોનના ફેલાવવાની ઝડપ કોરોનાના અન્ય વેરિયન્ટની સરખામણીમાં ઘણી વધુ છે.

આ સંક્રમણ અંગે એક ચિંતાજનક પહેલ એ પણ છે કે, લોકોમાં હજી પણ આ નવા વેરિયન્ટ અંગે જાણકારીનો અભાવ (Lack of information about Omicron in people) છે. શું ઓમિક્રોન જીવલેણ છે? શું તેના લક્ષણ કોરોનાના બીજા વેરિયન્ટથી અલગ છે? શું આની સારવાર અલગ રીતે થાય છે? તથા આની અસર કેટલી ગંભીર જોવા મળી શકે છે? જેવા ઘણા પ્રશ્નો છે, જેને સામાન્ય લોકોમાં અફવા ફેલાયેલી (Rumors about Omicron) છે. લોકોના આવા જ પ્રશ્નોના જવાબ જાણવા માટે ETV Bharatની સુખી ભવઃની ટીમે બેંગ્લોરના જનરલ ફિઝિશિયન ડો. જી. સી. ચૌરે સાથે વાતચીત કરી હતી.

અલગ નથી તપાસની રીત

ઓમિક્રોન અંગે જાણકારી આપતા ડો. ચૌરેએ જણાવ્યું હતું કે, કોરોનાના આ નવા વેરિયન્ટ (Omicron Cases in India)ની તપાસ અને સારવારની રીત કોરોનાના ડેલ્ટા તથા અન્ય વેરિયન્ટથી અલગ નથી. ઓમિક્રોનની ટેસ્ટિંગ માટે પહેલા વ્યક્તિનો RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ માટે સંભવિત સંક્રમિત વ્યક્તિનું સેમ્પલ જિનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવે છે. આ જ રીતે સંક્રમણથી પીડાતા લોકોની સારવાર પણ કોરોના પ્રોટોકોલ (WHO Protocol on Omicron) અંતર્ગત જ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના તમામ વેરિયન્ટની સારવારનો પ્રોટોકોલ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO Protocol on Omicron) તરફથી નક્કી કરવામાં આવ્યા છે.

કેટલા અલગ છે લક્ષણ?

ડો. ચૌરેએ જણાવ્યું હતું કે, આ સંક્રમણના લક્ષણોની વાત કરીએ તો, કોરોનાના ડેલ્ટા તથા વેરિયન્ટમાં (Omicron Cases in India) જ્યાં દર્દીમાં ગંભીર પ્રકારના લક્ષણ જોવા મળતા હતા, જેવા કે તાવ, સતત ઉધરસ, સુંઘવા અને સ્વાદની ક્ષમતા ઓછી થવી કે ખતમ થવી, શ્વાસ લેવામાં તકલીફ કે ઓક્સિજન લેવલનું અચાનક ઘટી જવું વગેરે. તો આ વેરિયન્ટના લક્ષણ ઘણા માઈલ્ટ એટલે કે સામાન્ય જોવા મળે છે જેવા કે, ખૂબ જ વધારે થાક લાગવો, ગળામાં ચૂંક આવવી, સામાન્ય તાવ આવવો, રાત્રે પસીનો થવો, શરીરમાં દુખાવો થવો અને સુકી ઉધરસ વગેરે. એટલું જ નહીં, ઘણા લોકોમાં તો લક્ષણ નજર આવતા પણ નથી.

તે દર્શાવે છે કે, અત્યાર સુધી આ વેરિયન્ટના લક્ષણોમાં દર્દીઓમાં ખાવાનો સ્વાદ કે સુગંધમાં ઘટાડો થવો, ખૂબ જ તાવ કે શ્વાસ સાથે જોડાયેલી ગંભીર સમસ્યાઓ અનુભવવી જેવા લક્ષણ નથી દેખાતા. આ માટે માનવામાં આવી રહ્યું છે કે, ફેફસાંમાં આરોગ્ય પર તેની વધુ અસર નહીં પડે, પરંતુ અહીં તે જાણવું પણ જરૂરી છે કે, કોરોનાના તમામ વેરિયન્ટના મૂળ સ્વરૂપના લક્ષણોમાં સમયની સાથે સાથે પરિવર્તન થતા રહે છે. આ માટે ભવિષ્યમાં આના લક્ષણ બદલવાની સંભાવનાથી ઈનકાર ન કરી શકાય.

સાવધાની જરૂરી

ડો. ચૌરેએ વધુમાં ઉમેર્યું હતું કે, જોકે, અત્યાર સુધી ઓમિક્રોનના કોઈ પણ પીડિતમાં સંક્રમણની વધુ ગંભીર અસર નથી જોવા મળી, જેના કારણે એ માનવામાં આવી રહ્યું છે કે, ઓમિક્રોનનો વર્તમાન વેરિયન્ટ આરોગ્ય પર વધુ ગંભીર અસર નથી પાડતું, પરંતુ તેમ છતાં સુરક્ષાને ધ્યાનમાં રાખી લોકોએ વધુ સાવધાની રાખવાની (Carelessness can lead to severe Circumstances of Omicron) જરૂર છે.

રોગની અસર શરીર પર ભલે ગંભીર હોય કે સામાન્ય. તે શરીરને અસર કરે જ છે. આ માટે ખૂબ જરૂરી છે કે, તમામ સાવધાનીઓ (Carelessness can lead to severe Circumstances of Omicron) તથા કોરોના સુરક્ષા સંબંધિત ધોરણોને અપનાવી લોકો આ સંક્રમણથી બચવાનો સંપૂર્ણ પ્રયાસ કરે. આ માટે જો શક્ય હોય તો ભીડવાળી જગ્યા પર જવાથી બચો. માસ્ક જરૂર પહેરો, પોતાના હાથને નિયમિત સેનિટાઈઝથી સાફ કરતા રહો અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સ રાખો.

આ પણ વાંચો- Yoga Effective In Winter : શિયાળામાં સામાન્ય મોસમી સમસ્યાઓથી દૂર રહેવા માટે યોગ છે અસરકારક

આ પણ વાંચો- Slip Slop Slurp: સનસ્ક્રીન, રેતી અને આઈસ્ક્રીમ પાછળનું આશ્ચર્યજનક વિજ્ઞાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.