ETV Bharat / sukhibhava

અમુક ફેટી એસિડ્સના વપરાશમાં ફેરફાર માથાના દુખાવો 'Migraine' ની તીવ્રતા ઘટાડી શકે છે

author img

By

Published : Jul 12, 2021, 3:09 PM IST

મોટાભાગના કેસોમાં ખોરાક આપણા સારા અને ખરાબ સ્વાસ્થ્ય માટે જવાબદાર છે, પછી ભલે સમસ્યા ઓછી હોય કે વધુ. પરંતુ કેટલીકવાર અમુક પ્રકારના આહારને અંકુશમાં રાખીને કેટલીક સમસ્યાઓ આંશિક અથવા સંપૂર્ણપણેે મુક્ત થઈ શકાય છે. તાજેતરમાં શરીર પર ફેટી એસિડ્સની ( Polyunsaturated fatty acids ) અસર પર એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે 16 અઠવાડિયાના સમયગાળા દરમિયાન દર્દીઓમાં ફેટી એસિડ્સના ( Fatty Acids ) અમુક વર્ગોના આધારે આહારમાં ફેરફાર આધાશીશી અને માથાનો દુખાવો ( Migraine ) ઘટાડી શકે છે.

અમુક ફેટી એસિડ્સના વપરાશમાં ફેરફાર માથાના દુખાવો 'Migraine' ની તીવ્રતા ઘટાડી શકે છે
અમુક ફેટી એસિડ્સના વપરાશમાં ફેરફાર માથાના દુખાવો 'Migraine' ની તીવ્રતા ઘટાડી શકે છે

  • ફેટી એસિડની માત્રામાં ફેરફારથી માઇગ્રેનમાં રાહત આપી શકે
  • સંસ્કરણ પામેલાં પદાર્થમાં પોલિઅનસેચ્યુરેડેટ ફેટી એસિડ વધુ હોય છે
  • દૈનિક ભોજન અને તેમના માથાના દુખાવાની સ્થિતિનો ખ્યાલ મેળવાયો

કોઈ વ્યક્તિના આહારમાં આ ફેટી એસિડ્સની ( Fatty Acids ) માત્રા માથાનો દુખાવો- માઇગ્રેન્સને ( Migraine ) કેવી અસર કરે છે એ જાણવા માટે કરાયેલા સંશોધનમાં 182 દર્દીઓને શામેલ કરવામાં આવ્યાં હતાં. જેઓને માઇગ્રેઇન્સની સારવારની જરૂર છે. યુએનસી સ્કૂલ ઓફ મેડિસિનમાં કાર્યરત ન્યુરોલોજી અને ઇંટીરિયરના પ્રોફેસર ડૌગ માનેે આ અધ્યયનનું નેતૃત્વ કર્યું હતું.

ડેઝી જણાવે છે કે પોલિઅનસેચ્યુરેડેટ ફેટી એસિડનું ( Polyunsaturated fatty acids ) આપણાં શરીરમાં કુદરતીરુપે ઉત્પાદન થતું નથી પરંતુ આજકાલ આપણા આહારમાં મકાઈ, સોયાબીન અને બીનોલા જેવા તેલની ચિપ્સ, ક્રેક્રસ અને ગ્રેનોલા જેવા ઘણાં સંસ્કરણ પામેલાં ખાદ્યપદાર્થો શામેલ થવાના કારણે ભોજનમાં પોલિઅનસેચ્યુરેડેટ ફેટી એસિડ પ્રકારના ફેટ ખૂબ વધી ગયાં છે.'

16 અઠવાડિયા માટે અધ્યયન

સંશોધન દરમિયાન દર્દીઓને તેમની વર્તમાન સારવાર ઉપરાંત 16 અઠવાડિયા માટે ત્રણ પ્રકારનાં આહારમાંથી એકનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. જેમાંથી પ્રથમ પ્રકારના આહારમાં સરેરાશ માત્રામાં એન -6 અને એન -3 ફેટી એસિડ્સ હોય છે, આ પ્રકારનો આહાર અમેરિકામાં રહેતા લોકો વધુ ઉપયોગમાં લે છે. બીજા પ્રકારનાં આહારમાં એન -3 ની માત્રા વધારે છે. તેમાં એન -3 અને એન -6 ફેટી એસિડ્સ પણ શામેલ છે. ત્રીજા પ્રકારનો આહાર કે જે એન -3 માં વધારે હતો અને એન -6 ફેટી એસિડ્સ ઓછો હતો. સંશોધનમાં સહભાગીઓને તેમના દૈનિક ભોજન અને તેમના માથાના દુખાવાની સ્થિતિનો ખ્યાલ રાખવા ઇલેક્ટ્રોનિક ડાયરી પણ આપવામાં આવી હતી.

નિયંત્રિત જૂથમાં આહાર પાલન માટે પ્રેરિત કરાયાં

યુએનસી મેટાબોલિક અને ન્યુટ્રિશન રિસર્ચ કોરના ક્લિનિકલ ન્યુટ્રિશન મેનેજર, એમપીએચ, આરડી, બેથ મિકિન્ટોશે અહેવાલ આપ્યો છે કે સહભાગીઓ સંશોધન દરમિયાન આ આહારનું પાલન કરવા માટે ખૂબ પ્રેરિત કરવામાં આવ્યાં હતાં. જામોર કહે છે કે સંશોધનનાં પરિણામો ખૂબ આશાસ્પદ હતાં. “માર્ગદર્શિત આહારનું પાલન કરનારા દર્દીઓએ નિયંત્રણ જૂથની તુલનામાં ઓછી પીડા અનુભવી. સહભાગીઓએ પણ માથાના દુખાવાના ( Migraine ) ઘટાડાની સાથે સાથે પીડાશામક દવાઓ લેવાના આવર્તનમાં ઘટાડો નોંધાવ્યો હતો.

શરીરમાં સંતુલન જાળવવા માટે બંને જરૂરી છે

અભ્યાસના સહલેખક કેતુરા ફૈરોટ, શારીરિક દવા અને પુનર્વસનના સહાયક પ્રોફેસર અને એકીકૃત દવા પરના કાર્યક્રમના સહાયક નિર્દેશક, સમજાવે છે કે "આ અભ્યાસે માછલીમાંથી એન -3 ફેટી એસિડ્સનું પરીક્ષણ કર્યું. આહારમાંથી નહીં, " ડોઝ દ્વારા આ અભ્યાસમાં તપાસવામાં આવેલા ફેટી એસિડ્સ ઓમેગા -6 (એન -6) અને ઓમેગા -3 (એન -3) છે. એ નોંધવું યોગ્ય છે કે આપણા શરીરમાં સંતુલન જાળવવા માટે બંને જરૂરી છે. કારણ કે એન -3 ફેટી એસિડ ( Fatty Acids ) સોજો ઘટાડવાનું કાર્ય કરે છે અને એન -6 ના કેટલાક પ્રકાર ડેરિવેટિવ દુખાવો વધારે છે.

આ પણ વાંચોઃ અનિદ્રાના રોગોમાં Ayurveda સારવાર ઉપયોગી

આ પણ વાંચોઃ નસકોરાની સમસ્યા ન થાય તે માટે આ પગલાં અનુસરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.