ETV Bharat / sukhibhava

જાદુઈ જડીબુટ્ટી આદુના 10 અસરકારક ફાયદા

author img

By

Published : Jul 13, 2020, 5:36 PM IST

10 Benefits Of The Superfood: Ginger
જાદુઈ જડીબુટ્ટી આદુના 10 અસરકારક ફાયદા

આદુમાં પુષ્કળ પ્રમાણમાં ફાયદા ધરાવતું ઔષધિ છે. આદુમાં પોષક તત્વો હોવાથી આયુર્વેદમાં ઔષધિ તરીકે તેનો ઉપયોગ થાય છે.

ન્યૂઝ ડેસ્કઃ આદુમાં પુષ્કળ પ્રમાણમાં ફાયદા ધરાવતું ઔષધિ છે. આદુમાં પોષક તત્વો હોવાથી આયુર્વેદમાં ઔષધિ તરીકે તેનો ઉપયોગ થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ ઝિંગિબર ઓફિસિનેલ છે અને તે ઝિંગિબેરાસી કુટુંબ સાથે સંબંધિત છે. તે હળદર અને એલચી જેવા મસાલા સાથે સંબંધ ધરાવે છે.

પુનેના કલ્પાયુ હેલ્થકેર ક્લિનકના એમડી ડૉ.કલ્પેશ રમેશલાલ બાફના જણાવે છે કે, “આદુમાં જિંજરલ નામનું કમ્પાઉન્ડ હોય છે, જે ખૂબ શક્તિશાળી છે અને તેમાં ઔષધીય ગુણધર્મો વધુ હોય છે. તેનો ઉપયોગ આપણા દૈનિક આહારમાં તેમજ અમુક સારવાર માટે થઈ શકે છે.”

ડૉક્ટર કલ્પેશના જણાવ્યા મુજબા આદુના ફાયદાં

  • સ્નાયુઓમાં દુખાવો, ગળાનો દુખાવો અથવા સાંધાનો દુખાવો અને અસ્થિવા જેવા મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર્સમાં સોજા અને બળતરાને દૂર કરવા આદુનો ઉપયોગ કરી શકાય છે.
  • લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.
  • તે એન્ટિ-લિપિડેમિક હોવાનું સાબિત થયું છે, જેનો અર્થ છે કે તે કોલેસ્ટરોલ અને શરીરના અન્ય ચરબીમાં ઘટાડો કરે છે.
  • આદુ કાર્ડિયાક / હાર્ટ જોખમના પરિબળોને ઘટાડવા માટે પણ ફાયદાકારક છે. જેના માટે તેને દૈનિક આહારમાં શામેલ કરી શકાય છે. જો કે, કોઈ વ્યક્તિ હાયપરટેન્સિવ, હાયપરલિપિડેમિક વગેરે હોય તો તેને દવા તરીકે પણ લઈ શકાય છે.
  • ઉબકા અને સવારની માંદગી જેવી પરિસ્થિતિઓમાં સારવાર કરવામાં તે ખૂબ મદદગાર છે.
  • તેમાં ગરમીની શક્તિને કારણે, તે સામાન્ય શરદી અને તાવની સારવાર માટે ફાયદાકારક છે.
  • પેટમાં ભારેપણું, પેટનું ફૂલવું, અયોગ્ય પાચનની સ્થિતિને સુધારવા આદુનો ઉપયોગ કરી શકાય છે.
  • પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ (પીએમએસ) દરમિયાન માસિક ખેંચાણ ઘટાડવા માટે તે એન્ટિસ્પેસ્મોડિક તરીકે ઉપયોગ કરી શકાય છે.
  • એન્ટિલિપિડેમિક હોવાથી, તેનો ઉપયોગ કોઈને અલ્ઝાઇમર રોગથી બચાવવા માટે કરી શકાય છે.
  • આદુ એન્ટી એજિંગ એજન્ટ તરીકે કામ કરે છે, જેનો અર્થ છે કે આદુનો ઉપયોગ કરવાથી વૃદ્ધત્વ જલ્દી નથી આવતું.

આદુનો ઉપયોગ કેવી રીતે કરવો

તમે આદુને તમારા દૈનિક પીણાં અને ચા, સૂપ, કરી વગેરે જેવા ખાદ્ય પદાર્થોમાં ઉમેરી શકો છો. જો કે, જો તમે તેને દવા તરીકે લેવા માંગો છો તો પાવડર, ગોળીઓ અથવા કેપ્સ્યુલ્સના રૂપમાં મળી શકે છે. પરંતુ તબીબી સલાહ લેવી અનિવાર્ય છે.

વધુમાં ડૉક્ટર કલ્પેશે જણાવ્યું કે,"કોઈ પણ વસ્તુનો વધારે પડતો વપરાશ હાનિકારક છે. અને તેથી, વધારે માત્રામાં આદુનું બિનજરૂરી સેવન કરવાથી ત્વચાનો વિકાર, અનુનાસિક રક્તસ્રાવ, આંતરિક અલ્સર વગેરેની સ્થિતિ થઈ શકે છે. આમ, દવા તરીકે લેતી વખતે ખૂબ કાળજી લેવી જરુરી છે."

આમ, આદુ એક સુપરફૂડ છે. દરેક ઘરમાં ઉપયોગમાં લેવાતો મસાલા અને આરોગ્યના અમુક પરિમાણોને ધ્યાનમાં લેતા તે ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન, જેમાં ઠંડી લાગીને તાવ આવે છે. તમારા દૈનિક આહારમાં આદુનો સમાવેશ કરીને તાવથી બચવા અને સ્વસ્થ રહેવામાં આદુ મદદ કરશે. આજના રોગચાળાની પરિસ્થિતિમાં, આદુ ચેપ સામે લડવામાં પણ મદદ કરી શકે છે. આમ, રોજિંદા આહારમાં તેનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવું હિતાવહ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.