ETV Bharat / state

વલસાડનો તિથલ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો

author img

By

Published : Mar 21, 2020, 5:59 PM IST

Updated : Mar 21, 2020, 7:42 PM IST

વલસાડ જિલ્લામાં કોરોના વાઇરસથી આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર સતર્ક બન્યું છે, ત્યારે વલસાડ નજીક આવેલા તિથલ દરિયા કિનારે આવનારા પર્યટકો માટે પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. 31 માર્ચ સુધી તિથલનો દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અહીં આગળ બેનરો મારી પોલીસનો પહેરો પણ મૂકવામાં આવ્યા છે. આવનારા તમામ લોકોને જાણ કરવામાં આવી રહી છે કે, કોરોના વાઇરસને લઈને હાલમાં તિથલનો દરિયા કિનારો બંધ રહેશે.

વલસાડનો તિથિલ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો
વલસાડનો તિથિલ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો

વલસાડઃ કોરોના વાઇરસ ગુજરાતમાં પ્રવેશી ચુક્યો છે. જેને પગલે અનેક કેસો સામે આવી રહ્યા છે. લોકોને તકેદારીના ભાગરૂપે વહીવટીતંત્રએ સજાગ રહેવા માટે સૂચનો કર્યો છે, ત્યારે વલસાડ જિલ્લામાં પણ જે સ્થળ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે એ સ્થળ એટલે કે, તિથલ બીચ ઉપર પર્યટકો માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.

વલસાડનો તિથલ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો

31 માર્ચ સુધી તિથલનો દરિયા કિનારો પર્યટકો માટે બંધ રહેશે અને જે માટે વિવિધ બેનરો મુખ્ય માર્ગ ઉપર લગાવી તિથલ નજીક આવનારા લોકોને જાણકારી આપવામાં આવી રહી છે. આ સાથે જ તિથલ બીચ પર પોલીસ જવાનો ખડેપગે રાખવામાં આવ્યા છે. અહીં આવનારા તમામ લોકોને બીચ બંધ હોવાની જાણકારી આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે, વહીવટીતંત્રએ તિથલનો દરિયા કિનારો બંધ હોવાની જાહેરાત કર્યા બાદ લોકો સ્વયં અહીં આવવાનું ટાળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વધુ પ્રમાણમાં ન ફેલાય તે માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જે સ્થળ પર લોકોનો મેળાવડો થતો હોય, તેવા સ્થળોએથી દૂર રહેવું.

Last Updated :Mar 21, 2020, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.