ETV Bharat / state

આદિવાસી સમાજની ધોડિયા બોલી સાચવવા માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

author img

By

Published : Feb 21, 2020, 9:57 PM IST

મહાત્મા ગાંધીજી લખે છે કે 'મારી માતૃભાષા ગમે તેવી અધૂરી હોય તો પણ માંની છાતીએથી અળગો ન થાઉં એમ માતૃભાષાથી દૂર તો નહીં જ થાઉં' એક જ વાક્ય દર્શાવી દે છે કે માતૃભાષાનું મહત્વ કેટલે અંશે છે દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે.

આદિવાસી સમાજની ધોડિયા બોલી સાચવવા માટે એક શિક્ષકે બીડું ઝડપી લખ્યા પુસ્તકો
આદિવાસી સમાજની ધોડિયા બોલી સાચવવા માટે એક શિક્ષકે બીડું ઝડપી લખ્યા પુસ્તકો

કપરાડાઃ તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદ ભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે.

જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી,ચલ ઉડ પવન પાવડી,સાત ઠગનો એક ઠગ ,અણ નાઈ તે પોર, ચક્રમ ચાડીયો, તેઓ people's linguistics survey of india (PLSI) પ્રકાશનમાં ધોડિયા બોલી સાહિત્ય વ્યાકરણનું લેખન પણ કરેલું છે. NCRT ભોપાલ ખાતે (MLE) તાલીમ કાર્યક્રમમાં ધોડિયા બોલીના તજજ્ઞ તરીકે પુસ્તક નિર્માણમાં સહયોગ પણ કર્યો છે.

આદિવાસી સમાજની ધોડિયા બોલી સાચવવા માટે એક શિક્ષકે બીડું ઝડપી લખ્યા પુસ્તકો
આદિવાસી સમાજની ધોડિયા બોલી સાચવવા માટે એક શિક્ષકે બીડું ઝડપી લખ્યા પુસ્તકો

આમ અરવિંદભાઈએ એક શિક્ષક તરીકેની ફરજ તો પૂરી પાડી છે, સાથે-સાથે તેઓ પોતાની માતૃભાષા એટલે કે ધોડિયા બોલીને સાચવવા માટે પણ પ્રયાસ કરી રહ્યા છે, અત્યાર સુધીમાં તેમણે લખેલી અનેક પુસ્તકો વાચકોમાં ખૂબ વખણાય છે, તેમ જ હાલમાં જ તેમની રજૂ થયેલી ધોડિયા ભાષાની કહેવતો મુક માટેની પુસ્તક યુવાનોમાં પણ ખૂબ પ્રચલિત બની છે.

આદિવાસી સમાજની ધોડિયા બોલી સાચવવા માટે એક શિક્ષકે બીડું ઝડપી લખ્યા પુસ્તકો
આદિવાસી સમાજની ધોડિયા બોલી સાચવવા માટે એક શિક્ષકે બીડું ઝડપી લખ્યા પુસ્તકો

અરવિંદભાઈ એ જણાવ્યું કે, 'આજના વર્તમાન સમયમાં અંગ્રેજી ભાષા પણ જરૂરી છે, પરંતુ તેના કારણે આપણી માતૃભાષાને વિશ કરવી ન જોઈએ, માતૃભાષાએ બીજી વ્યક્તિ સાથે વાતચીતમાં આત્મીયતા કેળવાય તે માટેની છે જો તમારી માતૃભાષામાં કોઈ વ્યક્તિ તમારી જોડે વાતચીત કરે તો તેની સાથે એક આત્મિયતા બંધાય છે અને તમને પણ એની સાથે વાતચીત કરવાની મજા આવે છે. ત્યારે ધોડિયા જાતિ માટે વિશેષ ધોડિયા બોલીએ પોતાની આગવી ઓળખ બની છે અને તેને જાળવી રાખવા માટે યુવાનોએ મોબાઇલ ઉપર ભલે અંગ્રેજીમાં વાતો કરતા હોય પરંતુ પોતાની માતૃભાષાને પણ જીવંત રાખવા માટે પ્રયાસ કરવો જોઈએ'

આદિવાસી સમાજની ધોડિયા બોલી સાચવવા માટે એક શિક્ષકે બીડું ઝડપી લખ્યા પુસ્તકો
નોંધનીય છે કે દક્ષિણ ગુજરાતમાં ધોડિયા સમાજનો એક મોટો વર્ગ છે, સાથે વારલી સમાજ અને કુકણા સમાજ પણ તેમની અલગ અલગ માતૃભાષા ધરાવે છે અને તેમની આ ભાષાઓ અંતરિયાળ ગામોમાં તો જીવન છે, પરંતુ હવે તેને બચાવવા માટે શહેરી વિસ્તારમાં પણ લોકો ધીરે ધીરે આગળ આવી રહ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.