ETV Bharat / state

સ્વૈચ્છીક બંધ પાળવા બદલ વલસાડ કલેક્ટરે વેપારીઓ-નગરજનોનો આભાર પ્રગટ કર્યો

author img

By

Published : Apr 11, 2021, 6:13 PM IST

વેપારીઓ-નગરજનોનોએ સ્વૈચ્છિક બંધને આપ્યો પ્રતિસાદ
વેપારીઓ-નગરજનોનોએ સ્વૈચ્છિક બંધને આપ્યો પ્રતિસાદ

વલસાડ જિલ્લામાં કોરોનાની ચેઇન તોડવા સ્વૈચ્છિક બંધને જબ્બર પ્રતિસાદ સાંપડ્યો છે, ત્યારે આ અંગે વલસાડ કલેક્ટર આર. આર. રાવલ અને વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે વેપારીઓ-નગરજનોનો હૃદય પૂર્વકનો આભાર પ્રગટ કર્યો હતો.

  • કોરોનાની ચેઇન તોડવા સ્વૈચ્છિક બંધ
  • વેપારીઓ-નગરજનોનોએ સ્વૈચ્છિક બંધને આપ્યો પ્રતિસાદ
  • કલેક્ટરે વેપારીઓ-નગરજનોનો આભાર પ્રગટ કર્યો

વલસાડ: આ અંગે ETV ભારત સાથે વાત કરતા કલેક્ટર આર. આર. રાવલે જણાવ્યું હતું કે,રવિવારના બંધના એલાનને પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે. લોકોએ એક દિવસ માટે પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા છે. જો આવી જ તકેદારી રાખીશું, તો કોરોનાની ચેઇન તોડવામાં આપણને જરૂર સફળતા મળશે.

કોરોનાની ચેઇન તોડવા સ્વૈચ્છિક બંધ

આ પણ વાંચો: મહેસાણામાં બે દિવસ રવિવારે બજારો બંધ રહ્યા, વાહનચાલકો બેફામ ફર્યા

આ પણ વાંચો: કેશોદની કોરોના સામે જંગ, શહેર 48 કલાક માટે સ્વૈચ્છિક બંધ

વેપારીઓએ-નગરજનોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો

વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે પણ વાપીના વેપારીઓ-નગરજનોનો આભાર માન્યો હતો. વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે કલેક્ટર દ્વારા અપાયેલા સ્વૈચ્છિક બંધને વાપીના વેપારીઓએ-નગરજનોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.