ETV Bharat / state

વાપીમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ, બંને કોમે ભેગા મળી કર્યુ નવરાત્રીનું આયોજન

author img

By

Published : Oct 3, 2019, 1:26 PM IST

વાપી : વાપીમાં 4 વર્ષથી જય માતાજી પરિવાર દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ શેરી ગરબાનું આયોજન હિન્દૂ-મુસ્લિમ પરિવારો એકસાથે મળીને કરે છે અને દર વર્ષે મોટી સંખ્યામાં ખેલૈયાઓ અહીં ગરબે ઘૂમી આકર્ષણનું કેન્દ્ર બને છે.

સ્પોટ ફોટો

વાપી બજારમાં મચ્છી માર્કેટ વિસ્તારમાં ચાર વર્ષથી જય માતાજી પરિવાર દ્વારા શેરી ગરબાનું આયોજન કરાઈ છે. જેમાં દરેક સમાજના યુવાનો ગરબે ઘૂમે છે. ગરબાનું આયોજન કોમી એકતાની ભાવના સાથે કરાઈ છે. આ શેરી ગરબામાં હિન્દૂ મુસ્લિમ સમાજનો સહયોગ મળે છે. દરરોજ મહાઆરતી સાથે ગરબા અને દાંડિયા રાસનું આયોજન કરવામાં આવે છે. જે બાદ તમામ સમાજના લોકો માટે દરરોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે.

અયોજક પરશુરામ જોગમેરકરના જણાવ્યા મુજબ અમે અહીં ગરબે રમતા તમામ યુવક યુવતીઓની સલામતીને પણ ધ્યાને રાખી હિન્દૂ ભાઈઓ, મુસ્લિમ ભાઈઓના સહકારથી આ આયોજન સુપેરે પાર પાડીએ છે.

વાપીમાં હિન્દુ-મુસ્લિમ સમાજના સહયોગમાં જય માતાજી પરિવાર દ્વારા શેરી ગરબાનું આયોજન

ગરબા રમવા આવતા ખેલૈયાઓ પણ જય માતાજી પરિવારના આ આયોજનથી ખૂબ જ ખુશ જોવા મળ્યા હતાં અને પાર્ટી પ્લોટને બદલે ઘર આંગણે પૂરતી સલામતી સાથે ગરબે ઘુમવાની ખુશી વ્યક્ત કરી હતી.

તો, નવરાત્રી મહોત્સવના આયોજનમાં સહયોગ આપનાર હસન પઠાણે જણાવ્યું હતું કે જય માતાજી પરિવારે અહીં શેરી ગરબાના આયોજન અંગે અમને વાત કરી એટલે 4 વર્ષથી અમે તેમને સહયોગ કરીએ છીએ અને નવરાત્રીના નવે નવ દિવસ પરિવાર સાથે ગરબામાં ભાગ લઈએ છીએ. અમને સેવાનો મોકો જય માતાજી પરિવારે આપ્યો છે અને કોમી એકતાના નાતે અમે સંપૂર્ણ સહકાર આપીએ છે. ક્યારેય કોઈ તકલીફ પડતી નથી.

ઉલ્લેખનીય છે કે, જય માતાજી પરિવાર દ્વારા આયોજિત આ ગરબામાં વાપીમાં વસતા ગુજરાતીઓ અને અન્ય રાજ્યના યુવક યુવતીઓ, બાળકો, વડીલો સૌ કોઈ ગરબે રમી રાસ ગરબાની રમઝટ બોલાવે છે.

Intro:location :- વાપી

વાપી :- દૈવી શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રી હાલ તેની ચરમસીમાએ છે. ત્યારે વાપીમાં 4 વર્ષથી જય માતાજી પરિવાર દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ શેરી ગરબાનું આયોજન હિન્દૂ મુસ્લિમ પરિવારો એકસાથે મળીને કરે છે. અને દર વર્ષે મોટી સંખ્યામાં ખેલૈયાઓ અહીં ઘરબે ઘૂમી આકર્ષણનું કેન્દ્ર બને છે.


Body:વાપી બજારમાં મચ્છી માર્કેટ વિસ્તારમાં ચાર વર્ષથી જય માતાજી પરિવાર દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ ગરબામાં દરેક સમાજના યુવાનો ગરબે ઘૂમે છે. ગરબાનું આયોજન કોમી એકતાની ભાવના સાથે કરવામાં આવે છે. આ શેરી ગરબામાં હિન્દૂ મુસ્લિમ સમાજનો સહયોગ મળે છે. દરરોજ મહાઆરતી સાથે ગરબા અને દાંડિયા રાસનું આયોજન કરવામાં આવે છે. જે બાદ તમામ સમાજના લોકો માટે દરરોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. અયોજક પરશુરામ જોગમેરકરના જણાવ્યા મુજબ અમે અહીં ગરબે રમતા તમામ યુવક યુવતીઓ ની સલામતીને પણ ધ્યાને રાખી હિન્દૂ ભાઈઓ, મુસ્લિમ ભાઈઓના સહકારથી આ આયોજન સુપેરે પાર પાડીએ છીએ.

ગરબા રમવા આવતા ખેલૈયાઓ પણ જય માતાજી પરિવારના આ આયોજનથી ખૂબ જ ખુશ જોવા મળ્યા હતાં. અને પાર્ટી પ્લોટને બદલે ઘર આંગણે પૂરતી સલામતી સાથે ગરબે ઘુમવાની ખુશી વ્યક્ત કરી હતી.

તો, નવરાત્રી મહોત્સવના આયોજનમાં સહયોગ આપનાર હસન પઠાણે જણાવ્યું હતું કે જય માતાજી પરિવારે અહીં શેરી ગરબાના આયોજન અંગે અમને વાત કરી એટલે 4 વર્ષથી અમે તેમને સહયોગ કરીએ છીએ અને નવરાત્રી ના નવે નવ દિવસ પરિવાર સાથે ગરબામાં ભાગ લઈએ છીએ. અમને સેવાનો મોકો જય માતાજી પરિવારે આપ્યો છે. અને કોમી એકતાના નાતે અમે સંપૂર્ણ સહકાર આપીએ છે. ક્યારેય કોઈ તકલીફ પડતી નથી.


Conclusion:ઉલ્લેખનીય છે કે જય માતાજી પરિવાર દ્વારા આયોજિત આ ગરબામાં વાપીમાં વસતા ગુજરાતીઓ અને અન્ય રાજ્યના યુવક યુવતીઓ, બાળકો, વડીલો સૌ કોઈ ગરબે રમી રાસ ગરબાની રમઝટ બોલાવે છે.

bite 1 :- પશુરામ જોગમેરકર, આયોજક, જય માતાજી પરિવાર ગરબા મંડળ, વાપી
bite 2:- પ્રિયંકા મિશ્રા, ખેલૈયા, વાપી
bite 3 :- હસન પઠાણ, શેરી ગરબામાં સહયોગ આપનાર મુસ્લિમ યુવક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.