ETV Bharat / state

જો જીતા વો હી સિંકદર: વલસાડમાં જે જીતે તે પક્ષની ગાંધીનગરમાં સરકાર!

author img

By

Published : Nov 19, 2022, 4:08 PM IST

Updated : Nov 19, 2022, 7:39 PM IST

જો જીતા વો હી સિંકદર
gujarat-assembly-election-2022-whoever-wins-from-valsad-forms-the-government-in-his-state

ગુજરાતમાં કોની સરકાર (Gujarat Assembly Election 2022) બનશે તેના પર હાલ દરેક નાગરીકની નજર છે. પરંતુ તમને જણાવી દઇએ કે કદાચ આ વાતનો જવાબ વલસાડના (Valsad Assembly seat ) લોકો પાસે હોઇ શકે છે. કેમકે અત્યાર સુધી છેલ્લા દસ દાયકાથી જે ત્યાંથી છુટાઇને આવે છે તેની ગુજરાતમાં સરકાર બને છે. જાણો કેમ એવું થાઇ છે? અને આ વખતે પણ શું પુનરાવર્તન ફરી થશે? જાણો દરેક વાતના જવાબ અમારા આ ખાસ અહેવાલમાં.

વલસાડ: ગુજરાતમાં ચૂંટણીનો (Gujarat Assembly Election 2022) માહોલ હવે જામી ગયો છે. થોડા જ દિવસોમાં હવે ચૂંટણી આવી રહી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું વલસાડની (Valsad Assembly seat ) કેમ 178 બેઠક એવી છે કે જે પાર્ટીના ઉમદેવાર જીતે છે, તે જ પક્ષની સરકાર બને છે. આ 1962થી શરૂ થયેલો ટ્રેન્ડ 2017 સુધી ચાલતો આવ્યો છે. ત્યારે હવે સવાલ તમને એ પણ થઇ રહ્યો હશે કે 2022 પણ શું એવું જ થશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (prime minister narendra modi) ચૂંટણી પ્રચારની (election campaign) શરૂઆત પણ વલસાડના ધરમપૂર ખાતેથી કરી હતી.

2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ
2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ

આ તે કેવો ટ્રેન્ડ?: આપણે આજે શરૂઆતથી વાત કરીએ. વાત છે 1962માં ત્યારે કોંગ્રેસના અરવિંદ મજમુદાર અને 1967માં કોંગ્રેસમાંથી કેશવભાઇ આર પટેલ ચૂંટણી જીત્યા ત્યારે પણ કોંગ્રેસની સરકાર બની હતી.1980ની વાત કરવામાં આવે તો કોંગ્રેસના દોલતભાઇ નાથુભાઇ દેસાઇએ જીત મેળવી હતી. અને તે સમયે પણ કોંગ્રેસની સરકાર બની હતી. ત્યાર બાદ 1985માં દોલતભાઇ દેસાઇને ટિકિટ આપવામાં આવી ન હતી. જેના કારણે તેઓ અપક્ષ તરીકે લડ્યા હતા. પરંતુ અફસોસ તેમની તે સમયે હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે બરજોરજી કાવસજી પારડીવાલા જીત હાંસલ કરી હતી. અને તેઓ કોંગ્રેસમાં હતા અને તે સમયે પણ કોંગ્રેસની સરકાર બની હતી. 1990માં દોલતભાઇ દેસાઇએ કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. અને તેઓ ભાજપમાં જોડાયા હતા. અને એ સમયે દોલતભાઇ ભાજપમાંથી જીત્યા હતા. અને તે સમયે ભાજપની સરકાર બની હતી. ત્યારે ચીમનભાઇ પટેલની ગુજરાતમાં સરકાર (Gujarat Assembly Election 2022) બની હતી. તે સમયે સૌથી પહેલા દોલતભાઇ દેસાઇએ ભાજપનું ખાતું ખોલાવ્યું હતું અને તે સમયથી ભાજપ જ વલસાડ બેઠકથી જીત પ્રાપ્ત કરતું આવ્યું છે. તેની સાથે પરંપરા અનૂસાર સરકાર પણ ભાજપની બનતી આવી છે.

મતદારોની સંખ્યા
મતદારોની સંખ્યા

વલસાડમાં મતદારો: આ વખતે (Gujarat Assembly Election 2022) ભાજપમાંથી ભરત કિકુભાઇ પટેલને ઉભા રાખવામાં આવ્યા છે તેઓ હિન્દુ કોળી છે. તો કોંગ્રેસમાંથી કમલકુમાર શાંતિલાલ પટેલને ઉભા રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે ભરત કિકુભાઇ પટેલ ફરી વાર ઉભા રાખવામાં આવ્યા છે આ પહેલા પણ તેઓ 2017માંથી ત્યાંથી ચૂંટાઇને આવ્યા હતા. ચૂંટણી પંચ દ્રારા જાહેર કરાયેલા યાદીમાં વલસાડના (Valsad Assembly seat) મતદારોની સંખ્યા જાહેર કરવામાં આવી હતી. જેમાં 133,422 પુરુષો છે અને મહિલાઓ 130,854 મહિલાઓ અને અન્ય 2 ટકા જેવા લોકો વલસાડમાં રહે છે.

વલસાડની ખાસિયત
વલસાડની ખાસિયત

વલસાડ બેઠકની ખાસિયતો: એક તરફ રાસાયણીક ઉદ્યોગ છે તો પશ્ચિમ દિશામાં દરિયા કાંઠે માછીમારોનો વ્યવસાય છે. વલસાડ હાફૂસ અને ચીકુના બાગાયતી પાકો માટે પણ જાણીતું છે. તો પૂર્વમાં ઔદ્યોગિક વિસ્તારમાં ઘોડીયા આદિવાસી અને મુસ્લિમની વસ્તીનું પ્રભુત્વ છે. ભાજપને અહીં ડેમ આંદોલનના કારણે તાપી લિંક પ્રોજેક્ટ કેન્સલ કરવો પડ્યો હતો. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ અહીંથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા આ વર્ષે ત્રિપાંખીયો જંગ જોવા મળશે.

વલસાડની સમસ્યાઓ
વલસાડની સમસ્યાઓ

વલસાડ બેઠક પર સૌથી ગરમ મુદ્દો: લોકોની માંગ પ્રાથમિક સુવિધાઓ, પાણી અને રસ્તાઓની કાયમની રહી છે. વરસાદની બાબતમાં ચેરાપુંજી જેવો વિસ્તાર ગણાતો હોવા છતાં ઉનાળામાં પીવાના પાણીની તંગી અહી વર્તાય છે જે પ્રશ્નો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પણ પરેશાન કરી શકે છે.ધરમપુરના ચાસ માંડવા અને પૈખેડ ખાતે રીવર લિંક પ્રોજેક્ટમાં સૂચિત ડેમ બનાનાર હોઇ આદિવાસી સમાજના વિવિધ સંગઠનો વિરોધ નોધાવી રહ્યા છે. લોકોનો વિરોધ એ મુદ્દે છે કે ડેમ બનશે તો 4000 લોકોને વિસ્થાપિત થવાનો વારો આવશે.વિરોધ ઉગ્ર બનતાં સરકારે મામલાને ગંભીરતાથી લીધો હતો. આદિવાસી નેતાઓ દિલ્હી ખાતે ગૃહમંત્રી અને નાણાં મંત્રી સાથે બેઠક કરી ડેમની કામગીરી હાલ મુલતવી રાખી હોવાની જાહેરાત કરી હતી.

Last Updated :Nov 19, 2022, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.