વલસાડ બજારમાં મુખ્ય ગણાતા રામ રોટીચોક ખાતે દર વર્ષે ભક્તિભાવ પૂર્વક ગણેશજીની સ્થાપનાં કરવામાં આવે છે. આ વર્ષે યુવક મંડળ દ્વારા પર્યાવરણને અનુરૂપ એવી પેપરમાંથી બનાવવામાં આવેલી વિઘ્નહર્તા દેવની સુંદર પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે.
12 ફૂટ ઊંચાઈ 200 ફૂટ વજન ધરાવતી આ મૂર્તિ બનાવવા માટે 25000 જેટલી નાની નાની પેપર ની કાપલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે .જોકે, રામ રોટીચોકનાં યુવક મંડળનાં સભ્યોએ જણાવ્યું કે દર વર્ષે તેઓ દ્વારા હવે પર્યાવરણને અનુરૂપ હોય એ પ્રકારે જ સ્થાપન કરવામાં આવશે સાથે અન્ય મંડળ માટે પણ તેમને એક ઉદાહરણ પુરુ પાડ્યું છે. જોકે પેપરમાંથી બનાવેલ ગણેશ પ્રતિમાને જોવા અનેક ભક્તો ઉમટી પડ્યા હતા.