મળતી માહિતી પ્રમાણે, બસ (GJ-18-Z-2241) ઉમરગામથી 5:45 કલાકે અંબાજી જવા નીકળી હતી. જે વાપી પહોંચે તે પહેલા જ બસના રેડિયેટરમાં ખામી સર્જાતા તેને વાપી ડેપો ખાતે ખસેડવામાં આવી હતી. જેના કારણે બસમાં એડવાન્સ બુકિંગ કરેલા 50થી વધુ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આમ, લાંબી મુસાફરીમાં જતી બસની માવજાત યોગ્ય સમયે ન થતાં તંત્રની બેદરકારી સામે આવી હતી. તેમજ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતાં.
ઉમરગામ-અંબાજી બસ વાપી ખાતે ખોટકાતા મુસાફરો અટવાયા
વલસાડઃ જિલ્લામાં ઉમરગામથી અંબાજી જતી ST બસ વાપી જતાં પહેલાં જ ખોટકાઈ હતી. જેના કારણે 50થી વધુ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ, એડવાન્સ બુકીંગ ધરાવતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, બસ (GJ-18-Z-2241) ઉમરગામથી 5:45 કલાકે અંબાજી જવા નીકળી હતી. જે વાપી પહોંચે તે પહેલા જ બસના રેડિયેટરમાં ખામી સર્જાતા તેને વાપી ડેપો ખાતે ખસેડવામાં આવી હતી. જેના કારણે બસમાં એડવાન્સ બુકિંગ કરેલા 50થી વધુ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આમ, લાંબી મુસાફરીમાં જતી બસની માવજાત યોગ્ય સમયે ન થતાં તંત્રની બેદરકારી સામે આવી હતી. તેમજ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતાં.
બસના ચાલકના જણાવ્યા મુજબ બસનો ફેન બેલ્ટ તૂટી જવાથી બસમાં ખામી સર્જાય છે. જે દોઢેક કલાકમાં બનાવી બસને રવાના કરી હતી.
એસટી વિભાગનો સૌથી જૂનો અને લાંબો રૂટ હોવા છતાં આ રૂટ ઉપર સાદી સ્લીપર અને વર્ષો જુની બસો દોડાવવામાં આવે છે. બસની અંદર ફાટેલા પડદા તેમજ સીટ કવરો હોવાથી ભારે અગવડતા પડે છે. આ મહત્વના રૂટ ઉપર રાજ્ય સરકાર અને એસટી વિભાગ નવી સુવિધાવાળી બસ મૂકે એવી માંગ ઉઠવા પામી છે.
Conclusion:વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં નારગોલ ડેપો બંધ થયા બાદ આ પ્રકારના રૂટો ઉપર ફરતી બસોનુ સમયસર મેઇન્ટેનન્સ નહિ થતા બસોના મુસાફરોને અગવડતા ભોગવવી પડે છે. તો, ઉમરગામ તાલુકામાં બંધ પડેલ ઐતિહાસિક ડેપો પુનઃ શરુ કરવો અતિ આવશ્યક છે.