ETV Bharat / state

કોરોનાઃ વાપીના પ્રસિદ્ધ જલારામ મંદિરે અન્નકૂટ અને જલારામ જયંતીના આયોજનો મોકૂફ

author img

By

Published : Nov 15, 2020, 1:16 PM IST

કોરોના મહામારીને કારણે વાપીમાં આવેલા જલારામ મંદિરે નવા વર્ષના અન્નકૂટના અને 21મી નવેમ્બરે જલારામ જયંતીના કાર્યક્રમો મૌકૂફ રખાયા છે. આ દિવસે માત્ર ભક્તોના દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે.

પ્રસિદ્ધ જલારામ મંદિરે કોરોના મહામારીને કારણે અન્નકૂટ અને જલારામ જયંતીના આયોજનો મૌકૂફ રખાયા
પ્રસિદ્ધ જલારામ મંદિરે કોરોના મહામારીને કારણે અન્નકૂટ અને જલારામ જયંતીના આયોજનો મૌકૂફ રખાયા

  • જલારામ મંદિરે અન્નકૂટ કાર્યક્રમ મોકૂફ
  • માત્ર દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે
  • કોરોના મહામારીને કારણે મંદિર ટ્રસ્ટનો નિર્ણય
  • જલારામ જયંતીની ઉજવણી પણ મુલતવી


વાપી: શહેરમાં આવેલા પ્રસિદ્ધ જલારામ મંદિરે આ વખતના નૂતન વર્ષે બાપાને ધરાવાતા 56 ભોગનો અન્નકૂટ કાર્યક્રમ મુલતવી રખાયો છે. કોરોના મહામારીને કારણે નવા વર્ષે ભક્તો બાપાના દર્શન કરી શકે તે માટે જ મંદિર ખુલ્લું રખાયું હતું. જ્યારે આગામી 21મી નવેમ્બરે આવતી જલારામ જયંતીની ઉજવણી પણ મુલતવી રખાય છે.

પ્રસિદ્ધ જલારામ મંદિરે કોરોના મહામારીને કારણે અન્નકૂટ અને જલારામ જયંતીના આયોજનો મૌકૂફ રખાયા
નવા વર્ષના દિવસે અન્નકૂટ કાર્યક્રમ મોકૂફ

વલસાડ જિલ્લાના વાપીમાં આવેલું જલારામ મંદિર ભક્તોમાં આસ્થાનું પ્રતીક છે. નવા વર્ષના દિવસે અહીં હજારો ભક્તો બાપાના દર્શને આવે છે. આ સાથે જ નવા વર્ષ બાદ સપ્તાહમાં આવતી જલારામ જયંતીની જોરશોરથી તૈયારીઓ આરંભાઈ જતી હોય છે. જો કે આ વખતે કોરોના મહામારીને ધ્યાને રાખી નવા વર્ષના દિવસે અન્નકૂટ કાર્યક્રમ મોકૂફ રખાયો છે. માત્ર દર્શન માટે મંદિર ખુલ્લું રખાયું છે.

મહાપ્રસાદ-મહાઆરતીના આયોજનો મુલતવી

આગામી 21મી નવેમ્બરે જલારામ જયંતીની ઉજવણીના મહાપ્રસાદ-મહાઆરતી સહિતના આયોજનો પણ મોકૂફ રખાયા છે. આ દિવસોમાં ભક્તો માત્ર બાપાના દર્શન કરી શકશે. ભક્તો માટે મંદિર સંસ્થાન દ્વારા આ વખતે મહાપ્રસાદને બદલે બુંદી-ગાંઠિયાના પેકેટ આપી ભક્તોને ભીડ નહિ કરવા અનુરોધ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.