ETV Bharat / state

Valsadમાં નદીના Bridge ઉપરથી યુવકની મોતની છલાંગ

author img

By

Published : Jun 14, 2021, 11:42 AM IST

વલસાડના અતુલ વાડી ફળિયા વિસ્તારમાં રેહતાં 22 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણસર પારડીના પાર નદીના બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. માર્ગમાંથી જતા વાહનચાલકોએ યુવકને કૂદકો મારતા જોઈ લેતા સ્થાનિકો અને પોલીસને જાણ કરી હતી. ચંદ્રપુરના તરવૈયાઓ દ્વારા એક કલાકની શોધખોળ બાદ નદીમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

Valsadમાં નદીના Bridge ઉપરથી યુવકની મોતની છલાંગ
Valsadમાં નદીના Bridge ઉપરથી યુવકની મોતની છલાંગ

  • 22 વર્ષીય યુવકે નદીમાં મોત ની છલાંગ લગાવી
  • અતુલ હાઈવે ઉપર નદીના બ્રિજ ઉપરથી કૂદકો લગાવ્યો
  • તરવૈયાઓ એ મૃતદેહને કલાકની જહેમત પછી શોધ્યો

વલસાડ : તાલુકાના અતુલ વાડી ફળિયા ખાતે રહેતો 22 વર્ષીય પ્રિન્સ નિલેશ પટેલ શનિવારે અતુલ હાઇવે ઉપર આવેલી પાર નદીના પુલ ઉપરથી અગમ્ય કારણોસર જંપલાવ્યું હતું. આ બાબતે હાઇવે ઉપરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોએ તાત્કાલિક સ્થાનિક લોકોને જાણ કરી હતી.

Valsadમાં નદીના Bridge ઉપરથી યુવકની મોતની છલાંગ
Valsadમાં નદીના Bridge ઉપરથી યુવકની મોતની છલાંગ

આ પણ વાંચો : ખેડામાં આત્મહત્યાની 2 ઘટનામાં 2ના મોત, 2 ગંભીર

નદીના પુલ ઉપર બનાવની જગ્યાએ પ્રાથમિક તપાસ હાથ ધરી

સ્થાનિક લોકોએ Valsad Rural Police અને ચંદ્રપુર ગામના તરવૈયાઓને જાણ કરી હતી. Valsad Rural Policeએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને નદીના પુલ ઉપર બનાવની જગ્યાએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : નડીયાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક કોરોના દર્દીએ કરી આત્મહત્યા

Police ટીમે મૃતદેહનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી

પારડી ચંદ્રપુરના તરવૈયાઓની ટીમે નદીના પાણીમાં એક કલાકની જહેમત પછી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. Valsad Rural Policeની ટીમે મૃતદેહનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. યુવકે મોત જેવું પગલું કેમ ભર્યું તે અંગે હજુ પણ કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.