ETV Bharat / state

વલસાડ,દમણ અને સેલવાસમાં 18 દિવસમાં કોરોનાના નવા 521 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Sep 19, 2020, 10:27 AM IST

daman
દમણમાં કોરોના

વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોનાની રફતાર ધીમી પડી છે. તેમ છતાં 1 સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર સુધીના 18 દિવસમાં ત્રણેય વિસ્તારના મળીને કુલ 521 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વલસાડમાં 18 દિવસમાં 10ના મૃત્યુ પણ નોંધાયા છે તો, કુલ 637 દર્દીઓ સ્વસ્થ થયા છે.

વલસાડ: જિલ્લામાં શુક્રવાર 18મી સપ્ટેમ્બરે 4 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જે સાથે કુલ દર્દીઓની સંખ્યા 1095 થઈ છે. જ્યારે 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરવા સાથે કુલ 897 દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ થઈ ચૂક્યા છે. હાલમાં 79 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જ્યારે જિલ્લામાં હોમ ક્વોરન્ટાઈન દર્દીઓની વાત કરીએ તો 22 દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે. 34 દર્દીઓ સરકારી ફેસિલિટી હોમ ક્વોરન્ટાઈન છે. 46 દર્દીઓ પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટાઈન છે. જે મળી કુલ 102 દર્દીઓ ક્વોરન્ટાઈન છે. જોકે, જિલ્લામાં કોરોનાને કારણે એક પણ મોત નોંધાયા નથી. તેમ છતાં અત્યાર સુધીમાં કુલ 120 દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે.

વલસાડ,દમણ અને સેલવાસમાં 18 દિવસમાં કોરોનાના નવા 521 પોઝિટિવ કેસ
વલસાડ જિલ્લાની સપ્ટેમ્બર માસના 18 દિવસની વાત કરીએ તો 1લી સપ્ટેમ્બરે જિલ્લામાં કુલ 972 કેસ હતાં, 75 સારવાર હેઠળ હતા, જ્યારે 787 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા હતાં. જે બાદ 18મી સપ્ટેમ્બર સુધીમાં વધુ 123 નવા કેસ નોંધાયા છે, 10 દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે. જ્યારે 110 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે.સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં શુક્રવારે 18મી સપ્ટેમ્બરના વધુ 20 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. તેમજ સામે 20 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. 1લી સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર દરમિયાન સેલવાસમાં 253 નવા દર્દીઓ નોંધાયા છે. 1લી સપ્ટેમ્બરે દાદરા નગર હવેલીમાં 1130 કુલ કેસ હતાં. જેમાં 157 સારવાર હેઠળ તો 973 દર્દીઓ સ્વસ્થ થઈ રજા મેળવી ચુક્યા હતાં. જ્યારે 18મી સપ્ટેમ્બરે કુલ કેસનો આંકડો 1383 છે. જેમાંથી 127 સારવાર હેઠળ છે. 1256 સારવાર મેળવી સ્વસ્થ થયા છે.સંઘપ્રદેશ દમણમાં છેલ્લા 18 દિવસમાં 145 નવા કેસ નોંધાયા છે. શુક્રવારે 18મી સપ્ટેમ્બરે 4 નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 1156 થઈ છે. જેમાંથી 1104 સ્વસ્થ થઈ ચૂક્યા છે. 52 સારવાર હેઠળ છે. જ્યારે 1લી સપ્ટેમ્બરે કુલ કેસ 1011 હતાં, 960 સ્વસ્થ થયા હતાં. 51 સારવાર હેઠળ હતાં.

જ્યારે સેલવાસમાં 18 દિવસમાં 253 કેસ નવા નોંધાયા, 283 દર્દીઓ સ્વસ્થ થયા, દમણમાં 145 નવા કેસ નોંધાયા, 244 સ્વસ્થ થયા છે. વલસાડ જિલ્લામાં 123 નવા કેસ નોંધાયા છે. 110 સ્વસ્થ થયા, 10 મોતને ભેટ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.