ETV Bharat / state

ગુજરાતની આ યુનિવર્સિટીમાં ભારતમાં પ્રથમ વખત હિંદુ સ્ટડીઝનો સ્નાતક કોર્સ, કૈક આવુ હશે જ્ઞાન

author img

By

Published : Jul 6, 2022, 3:45 PM IST

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં(Vadodara MS University)હિંદુ સ્ટડીઝનો અભ્યાસ (course in Hindu Studies)કરાવવામાં આવશે. આ કોષની શરૂઆત નવા સત્રથી કરવામાં આવશે. આ કોર્સ સ્નાતક અભ્યાસક્રમ હિંદુ સંસ્કૃતિનું મૂળભૂત જ્ઞાન અપાશે અને વર્તમાન સંદર્ભમાં હિંદુ મૂલ્યોની સ્થિતિને સ્પષ્ટ કરાશે.

હિંદુ સ્ટડીઝનો સ્નાતક કોર્સ ભારતમાં પ્રથમ ગુજરાતની આ યુનિવર્સિટીમાં થશે
હિંદુ સ્ટડીઝનો સ્નાતક કોર્સ ભારતમાં પ્રથમ ગુજરાતની આ યુનિવર્સિટીમાં થશે

વડોદરા: વડોદરાની અને વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં (Vadodara MS University)હિંદુ સ્ટડીઝનો અભ્યાસ કરાવવામાં( Course in Hindu Studies at MS University)આવશે. યુનિવર્સિટીની સિન્ડિકેટ દ્વારા બી.એ અને એમ.એ હિંદુ સ્ટડિઝના અભ્યાસક્રમને(MA in Hindu Studies)મંજૂરી આપવામાં આવી છે. આ કોર્સ સ્નાતક અભ્યાસક્રમ હિંદુ સંસ્કૃતિનું મૂળભૂત જ્ઞાન અપાશે અને વર્તમાન સંદર્ભમાં હિંદુ મૂલ્યોની સ્થિતિને સ્પષ્ટ કરવા છે.

કોર્સમાં શું શું ભણાવવામાં આવશે - આ કોષની શરૂઆત (Hindu Studies)નવા સત્રથી કરવામાં આવશે. જેમાં 60 જેટલી બેઠકો ફાળવવામાં આવશે અને 14,000 વાર્ષિક ફી રહેશે. જે સમગ્ર ભારત ભરમાં પ્રથમ સ્નાતક કોર્સ શરૂ કરનાર એકમાત્ર યુનિવર્સિટી એમ.એસ યુનિવર્સિટી હશે. મહારાજા સજીરાવ યુનિવર્સિટીએ શરૂ કરવામાં આવનાર હિંદુત્વનો ગ્રેજ્યુએશન કોર્સમાં ભગવદ્ ગીતા ,રામાયણ ,યોગશાસ્ત્ર પરિચય ,આયુર્વેદનો પરિચય ,હિન્દુ દર્શન નો પરિચય ,હિન્દી ,અંગ્રેજી, પ્રાચીન ભારત ,મધ્યકાલીન ભારત ,પર્યાવરણ વિજ્ઞાન, આધુનિક ભારત ,વેદોનો પરિચય, ભારતનું રાષ્ટ્રીય આંદોલન, હિન્દુ મનોવિજ્ઞાન, ભગવદગીતાનો પરિચય, રામાયણ ,મહાભારતનો પરિચય ,પુરાણનો પરિચય, આધુનિક વિશ્વનો ઈતિહાસ ,વૈષ્ણવ અને શક્તિ, દક્ષિણ એશિયામાં ફેલાવો બંધન, મોક્ષ વિમરસા સહિતના વિષયોનો સમાવેશ કરવામાં આવે છે.

હિંદુ સ્ટડીઝ

આ પણ વાંચોઃ 84 વર્ષના વિદ્યાર્થીએ યુનિવર્સિટીમાંથી મેળવી ડૉક્ટર ઑફ લિટરેચરની ડિગ્રી

કેટલી બેઠક અને ફી હશે - આ કોર્સમાં 60 બેઠકો અને 14,000 વાર્ષિક ફી રાખવામાં આવેલ છે. BAઅને MAના અભ્યાસક્રમમાં 60 - 60 બેઠકો રખાય છે. પ્રત્યેક વર્ષની ફ્રી 14000 નક્કી કરવામાં આવી છે. સાથે જ કોઈપણ રાજ્ય અથવા કેન્દ્રીય બોર્ડનું ઉચ્ચ માધ્યમિક શાળાનું પ્રમાણપત્ર ધરાવતા કોઈપણ વિદ્યાર્થી અરજી કરવા પાત્ર રહેશે. એમાં પ્રવેશ માટે વિજ્ઞાન ટેકનોલોજી સામાજિક વિજ્ઞાન અથવા માનવ શાસ્ત્રમાંથી ઓછામાં ઓછા 45 ટકા ગુણ અથવા તો સમકક્ષ ગ્રેડ સાથે ડિગ્રી ધરાવતા કોઈ પણ અરજી કરવા પાત્ર રહેશે.

આ પણ વાંચોઃ એકતાની મિશાઇલ : કર્ણાટકામાં હિંદુ પરિવારે મુસ્લિમ સમાજ માટે કર્યું આ ખાસ કામ...

ડો.દિલીપ કટારીયાએ શું કહ્યું - આ અંગે વધુ માહિતી આપતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય દિલીપ કટારીયાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય ઇતિહાસ અને જ્ઞાન પ્રણાલી પર પશ્ચિમના કારણે હિન્દુ ફિલસુફીના સાચા સ્વરૂપનું પક્ષપાત અને અપૂર્ણ નિરૂપણ કર્યું છે. મહત્વપૂર્ણ પરંપરાઓ અને ગ્રંથો, વેદ, રામાયણ, મહાભારત અને અન્યને સંસ્થા વાદી વહીવટ કરતાઓ દ્વારા દંતકથાઓ અથવા પૌરાણિક કથાઓ તરીકે દર્શાવી ઐતિહાસિક મહત્વની રદ કરવામાં આવ્યા હતા. સાથે જ ભારત સરકારના 2019 માં નવી શિક્ષણ નીતિને રજૂ કરી તેને લઈને આ કોર્સ અમલમાં મૂકવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.