ETV Bharat / state

Cyber Crime : સાયબર ક્રાઇમ ક્યાંથી થઈ રહ્યા છે, તેનાથી બચવા શું કરવું જોઈએ, જુઓ વિગતવાર

author img

By

Published : Apr 27, 2023, 3:48 PM IST

Cyber Crime : સાયબર ક્રાઇમ ક્યાંથી થઈ રહ્યા છે, તેનાથી બચવા શું કરવું જોઈએ, જુઓ વિગતવાર
Cyber Crime : સાયબર ક્રાઇમ ક્યાંથી થઈ રહ્યા છે, તેનાથી બચવા શું કરવું જોઈએ, જુઓ વિગતવાર

સાયબર ક્રાઈમના સકંજામાં લોકો કેવી રીતે ભોગ બને છે, તેનાથી લોકોએ કેવી રીતે બચવું જોઈએ એ સમગ્ર બાબતે વડોદરાના સાયબર ક્રાઈમના ACP એ જાણકારી છે. સાયબર ક્રાઇમ થવાના કારણો તેમજ શું ન કરવું જોઈએ જેવી વગેરે બાબતની માહિતી આપી છે. સાઈબર ક્રાઈમ બાબતે નાઈઝીરિયા અને ચાઈનાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

સાયબર ક્રાઇમ ક્યાંથી થઈ રહ્યા છે, તેનાથી બચવા શું કરવું જોઈએ

વડોદરા : આજના આધુનિક અને ઇન્ટરનેટ સાથે જોડાયેલ દુનિયામાં લોકો સરળતાથી કોઈપણ કામ કરી શકે છે, પરંતુ સાથે સાથે લોકો સાયબર ઠગોના સકંજામાં ફસાઈ વધુ રહ્યા છે. ત્યારે હાલમાં થઈ રહેલા સાયબર ક્રાઇમના ગુનાઓ કોણ અને ક્યાંથી થઈ રહ્યા છે. સાથે તેનાથી લોકોએ બચવા શું કરવું જોઈએ તે અંગે સાઇબર ક્રાઇમ ACP હાર્દિક.એસ.માકડીયા મહત્વની જાણકારી આપી છે.

કઈ રીતે ક્યાંથી ફ્રોડ થાય છે : સાયબર ક્રાઇમમાં હાલમાં થઈ રહેલા છેતરપિંડી અંગે માહિતી આપતા સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક.એસ.માકડીયાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં રિજન વાઇઝ વાત કરવામા આવે તો ભારતમાં મેવાત્રીજન, જામતળા રિજન, વેસ્ટ બંગાળ, દિલ્હીથી આ ફ્રોડ થાય છે. સાથે ભારતની બહારથી નાઈઝીરિયા અને ચાઇનામાં હોસ્ટસ્પોટ છે. મેવાત્રીજનના જે ફ્રોડ થતા હોય છે તેવા સાયબર ઠગોની મોડ્સ ઓપરેન્ટીની વાત કરવામાં આવે તો તે OLX ઇન્ડિયન આર્મી ફ્રોડ જેમાં ઇન્ડિયન આર્મી કે સીઆરપીએફના જવાનના આઈ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. જેના આધારે લોકોને વિશ્વાસમાં લેવા, કોઈ વસ્તુ OLX કે ફેસબુક પર વેચવા માટે મુકવામાં આવે છે અને તેના નામે ફ્રોડ કરવામાં આવતા હોય છે.

ન્યૂડ કોલિંગ ફ્રોડ : આ ફ્રોડ મેવાત્રીજન દ્વારા કરવામાં આવે છે. આ ફ્રોડમાં એક છોકરીની ફેસબુક પર પ્રોફાઈલ બનાવવામાં આવે છે. પછી રિકવેસ્ટ મોકલવામાં આવે છે અને ફ્રેન્ડ બનાવવામાં આવે છે. ત્યારબાદ વોટ્સઅપ પર મેસેજ અને કોલ આવે છે. પછી સામેથી ન્યૂડ પ્રોફાઈલ કે પિક્ચર આવે અને સામે વાળાને પણ ફરજ પાડવામાં આવે છે કે તેમે ન્યૂડ થાઓ અને ત્યારબાદ ન કરે તો તેના પ્રોફાઇલને ન્યૂડ કરી બદનામ કરવાની ધમકી આપવામાં આવે છે અને બ્લેકમેલ કરવામાં આવે છે. આ સાથે ફેસબુક પર ફેક આઈડી બનાવવામાં આવે છે. ફોલોઅર્સ પાસેથી પૈસા પડાવવા તે આ મેવાત્રની મોડન ઓપરેટીવ છે.

લોકોને ધાક ધમકી : જામતાળા મોડન ઓપરેટર દ્વારા લોકોને ડરમાં નાખવામાં આવે છે અને ત્યારબાદ છેતરપીંડી આચરવામાં આવે છે. આ સાયબર ઠગો લોકોને કોલ કરીને ઇલેક્ટ્રિસિટી બિલ બાકી છે તમારું કનેકશન કપાઈ જશે. બેંક કર્મચારી બની કોલ કરે છે અને OTP માંગે છે. સાથે મોબાઈલ સ્કિન એપ્લિકેશનના માધ્યમથી લોકોના ડોક્યુમેન્ટ અને પર્સનલ માહિતી મેળવી લે છે. આ સાથે ગૂગલમાં કસ્ટમર કેરમાં ફેક નંબર નાખીને ફ્રોડ કરતા હોય છે.

સસ્તામાં વસ્તુ આપવાની લાલચ : નાઈઝીરિયાથી થતા ફ્રોડ - આ ફ્રોડ સિમ્સવેર ફ્રોડ વધુ થાય છે. તેઓ તમારું અન્ય સીમ મેળવી લેવાનું કહેવામાં આવે છે. સાથે ખોટી કંપની બનાવી સસ્તામાં માલ આપવાની લાલચ આપવામાં આવે છે. જે નાઇઝીરિયાથી થતા હોય છે અને ત્યારબાદ ઇન્ડિયન એજન્ટોના ખાતામાં પૈસા મોકલવામાં આવતા હોય છે. આજકાલ સૌથી વધુ લોકો સાથે ઠગાઈ ચાઇનાથી થઈ રહી છે.

ચાઇના લોન એપથી 70 લોકોએ આત્મહત્યા કરી : હાલમાં સૌથી વધુ પ્રમાણમાં ચાઈનામાંથી લોકોની સાથે ઠગાઈ આચરવામાં આવી રહી છે. ચાઇનામાંથી બે પ્રકારના ફ્રોડ થઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને ઇન્સ્ટન્ટ લોન એપના ફ્રોડ થાય છે. જેમાં પ્લે સ્ટોર કે પ્લે સ્ટોરની બહાર APK મોબાઈલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવે છે. તેના ઉપયોગ થકી લોકોને સસ્તા વ્યાજદરે લોન આપવામાં આવે છે. આ લોનની લાલચમાં તમારા ફોનની અંદર રહેલા ગેલેરી, કોન્ટેક્ટ નંબર, કેમેરાની એક્સેસ લઈ લેતા હોય છે અને લોન લેનારને બ્લેકમેલ કરવામાં આવે છે. તેના મોબાઈલના એક્સેસ આધારે તેના ફોટોને ન્યૂડ કરવામાં આવે છે અને બ્લેકમેલ કરવામાં આવે છે. ચાઈનીઝ લોન એપ્લિકેશનના કારણે વર્ષ 2019થી આજ દિન સુધીમાં ભારતમાં 70 જેટલા લોકોએ આત્મહત્યા કરી લીધી છે, જે એક ગંભીર બાબત છે. લોકો આ ફ્રોડમાં ડર અને બદનામીના ડરે આવું કરતા હોય છે.

લોકોને ટાસ્ક આપી ફસાવવામાં આવે : ઇન્વેસમેન્ટ ફ્રોડ - ચાઇનામાંથી થતું અન્ય મોટું ફ્રોડ ઇન્વેસમેન્ટ ફ્રોડ છે. જેમાં લોકોને ટાસ્ક આપવામાં આવે છે. પહેલા એક બે વાર પૈસા ભરાવવામાં આવે છે અને સારા વળતર સાથે પૈસા પરત આપવામાં આવે છે. જેથી લોકોને વિશ્વાસ બેસી જાય છે. પછી શરૂ થાય છે એક મહિના સુધી ટાસ્ક આપીને નાના માંથી મોટી રકમ ભેગી કરવામાં આવે છે અને ડમી એપ્લિકેશન દ્વારા લોકોને બતાવવામાં આવે છે કે તમારું આટલું મોટું ઇન્વેસમેન્ટ થયું છે જે એકમાત્ર વિશ્વાસ માટે હોય છે. ત્યારબાદ સાયબર ઠગો લોકોને હજારોથી લઈ કરોડો રૂપિયા સુધી લોકોની સાથે છેતરપીંડી આચરતા હોય છે.

સાયબર ક્રાઇમ થવાના કારણો : લોકો સાથે થતી ઠગાઈ માટે અનેક પ્રકારના કિમીયા સાયબર ઠગો અપનાવતા હોય છે. પરંતુ મુખ્ય ત્રણ કારણો લોકોને છેતરપીંડી માટે મજબૂર કરે છે. જેમાં મુખ્ય ત્રણ બાબત હોય છે જેમાં પ્રથમ લાલચ, બીજું ડર અને ત્રીજું આળસ હોય છે.

આ પણ વાંચો : હેકર્સ દ્વારા સાયબર વોરની ઘોષણા વચ્ચે ભારતે આપ્યો જવાબ, જુઓ શું છે મામલો?

શું ન કરવું જોઈએ : લોકોને સૌથી પહેલા લાલચમાં ન આવવું જોઈએ. લોકોને સાયબર ઠગો દ્વારા લાલચ આપવામાં આવે છે. જેમાં સસ્તામાં વસ્તુ આપવી, સ્કીમના આધારે તમને કમાવવા માટે લાલચ આપવામાં આવે છે. આવું કોઈ માધ્યમ નથી કે જે તમને તમારી મહેનત વગર લાખ રૂપિયા કે હજારો કમાઈ શકાય. આ સાથે બીજું કારણ ડર હોય છે. જેમાં લોકોને ડરાવવામાં આવે છે. જેમ કે ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જશે, બેંક એકાઉન્ટ બંધ થઈ જશે, વધારે ડરાવવા માટે તેઓના વોટ્સએપ એકાઉન્ટમાં પોલીસ કે અન્ય એજન્સીઓના નામે કોલ કરી ડરાવવામાં આવે છે. આવા કોઈપણ વ્યક્તિને ઓળખતા ન હોઈએ તો ડરમાં ન આવવું જોઈએ.

આ પણ વાંચો : ઓનલાઇન ગેમ રમતા ફૂટબોલ રસિકો સાવધાન, નહીં તો થઈ શકો છો પાયમાલ

આળસથી ભાગો : આ સાથે ત્રીજું કારણ છે આળસ. લોકો કોઈપણ ટેકનોલોજીના માધ્યમથી ઉપયોગ કરી તેના માધ્યમની સિક્યોરિટી માટે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ફેસબુક કે બેંક એકાઉન્ટ માટે ખાસ કરીને પાસવર્ડ મજબૂત રાખવો જોઈએ. કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા તેનો સોર્સને જાણવો જોઈએ. સાથે એપ્લિકેશન તમારા મોબાઈલમાં સ્ટોર થયા બાદ તમામ પરમિશન ન આપવી જોઈએ અથવા ઇન્સ્ટોલ ન કરવા જોઈએ જેથી આપણે સાયબર ઠગોથી બચી શકીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.